બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Lachharas village of Narmada, up to 5 feet of water, the scenes will be stunned
Priyakant
Last Updated: 04:32 PM, 11 July 2022
નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસવાના કારણે ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે વરસાદના કારણે નર્મદાના તારોપા ગામે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. નર્મદા જિલ્લાના લાછરસ ગામે પ ફૂટ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું છે. તંત્ર તરફથી કોઇ મદદ ન મળતા સ્થાનિકોએ પાણીનો નિકાલ કરવા મોરચો સંભાળ્યો છે. હાલ તો ભારે વરસાદને કારણે જનજીવનને માઠી અસર પડી છે.
લાછરસ ગામે પ ફૂટ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું
નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે લાછરસ ગામે પ ફૂટ પાણી ભરાતા ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદને કારણે જનજીવનને પણ માઠી અસર પહોંચતા હવે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત
નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે રાજપીપળાથી ડેડીયાપાડાનો રસ્તો પણ ધોવાઇ ગયો છે. જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ડેડીયાપાડા સંપર્ક વિહોણું બન્યું છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાનું પૂછપુરા ગામ પણ સંપર્ક વિહોણું થયેલું જોવા મળી રહ્યું છે. પૂછપુરા ગામ પાસે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. વધતા જતા પાણીના પ્રવાહના કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. જણાવી દઇએ કે, તાલુકા અને જિલ્લા મથકે અવર-જવર માટેનો માત્ર એક જ રસ્તો છે.
ગરૂડેશ્વરમાં આવેલો 35 મીટર ઊંચો ડેમ ઓવરફ્લો
નર્મદા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ ચાલુ છે. જેના કારણે ગરૂડેશ્વરમાં આવેલો 35 મિટર ઊંચો ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નદીમાં પણ પૂર આવ્યું છે. સાથે 5 હજારની વસ્તી ધરાવતુ નઘાતપુર ગામ પણ સંપર્ક વિહોણું બન્યું છે. ઉલ્લેખનીય છે કે, ગરૂડેશ્વર તાલુકામાં છેલ્લા 12 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગામમાં 400 મકાન અને 5000 લોકોની વસ્તી છે. આથી, કોઝવે પર પાણી ફરી વળતા ગામના લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ સાથે નાંદોદ તાલુકાના લાછરસ ગામે પણ મંદિરમાં પાણી ફરી વળ્યા છે. ગામ વચ્ચે તળાવ જેવી સ્થિતિ સર્જાઇ છે.
50થી વધુ ઘરોમાં પાણી ભરાઇ જતા ખૂબ મોટું નુકસાન
બીજી બાજુ નર્મદાના રાજપીપળાના ખારા ફરિયા અને દેવીપૂજક વિસ્તારમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાઇ જતા ખૂબ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી, સાંસદ મનસુખ વસાવા અને પાલિકા પ્રમુખે આ વિસ્તારની મુલાકાત લઇ નુકસાનીનું નિરિક્ષણ કર્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir