બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Dinesh
Last Updated: 11:59 PM, 27 February 2023
મારના ડરથી પત્નીએ દીકરી સાથે મળીને પતિની ઠંડા કલેજે કરી હત્યા કરી દીધી છે. હત્યા કરાઈ હોવાની હક્કીત પોસમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો. જેને લઈ અમદાવાદમાં સરદાર નગર પોલીસે હત્યાનો ગુનો નોંધી માતા અને દીકરીની ધરપકડ કરી છે. દારૂડિયા અને શંકાસીલ પતિથી કંટાળીને હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.
કુદરતી મોતમાં ખપાવવા પત્નીએ અનેક પ્રયત્નો
હત્યારી પત્ની ગીતાબેન જાદવ અને દીકરી ભાવના જાદવએ ભેગા મળી પતિની હત્યા કરી છે. હત્યાના બનાવને કુદરતી મોતમાં ખપાવવા પત્નીએ અનેક પ્રયત્નો કર્યા પરતું પોસમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. ત્યારે ઘટનાની વિગતવાર વાત કરીએ તો મૃતક પતિ કિશોર જાદવ દરરોજ પત્ની અને બે દીકરીઓને ઢોર માર મારતો હતો. રવિવારના રોજ પણ પતિ કિશોરએ પત્નીને માર મારી અને દીકરીને વાળ પકડીને માર માર્યો હતો. જેથી ઉશેકરાયેલી માતા-દીકરીએ મૃતક કિશોરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. મૃતક કિશોર જ્યારે સુઈ રહ્યો હતો ત્યારે પત્ની ગીતાબેન દુપટ્ટાથી કિશોરનું ગળું દબાવ્યું. જ્યારે દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકી મોઢું દબાવી રાખ્યું હતું. જે બાદ હત્યારી ગીતાબેન ભત્રીજા પરાગ જાદવને ફોન કરીને કહ્યું કે, કિશોર ઉઠી રહ્યા નથી. જ્યાં હોસ્પિટલમાં લઈ જતા હાજર ડોક્ટરે કિશોર ભાઈ મૃત જાહેર કર્યા હતા. પરતું ભત્રીજાને શંકા જતા અને પોસમોર્ટ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા સરદાર નગર પોલીસે ગુનો નોંધી માતા-દીકરીની ધરપકડ કરી છે.
કંટાળીને પત્નીએ હત્યા કરી હોવાનું કબૂલાત કરી
20 વર્ષના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે, બેકાર પતિ કિશોરથી કંટાળીને પત્નીએ હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે. પતિ કિશોર અને પત્ની ગીતાના લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનો છે જેમાં બે દીકરીઓ સોડા ફેકટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી જ્યારે બેકાર કિશોર દારૂ પીને પત્ની અને દિકરી પર શંકા રાખી અત્યાચાર કરતો હતો. કિશોરના મારના ડરથી ગીતા અને તેની દીકરીઓ દહેશતમાં જીવતી હતી પરંતુ ડરમાંથી બહાર આવા માટે ડરને મારી નાખવાનું નક્કી કર્યું અને રવિવારના રોજ પતિની હત્યા કરી અકસ્માતનું રૂપ આપ્યું હતું.
પત્નીને પતિનો હતો ડર
પોલીસ તપાસમાં સામે આવ્યું કે હત્યા દરમિયાન માતા અને દીકરી પર હત્યાનું ઝુનુનું સવાર થઈ ગયું હતું કે મોટી દીકરી હત્યા કરતા જોઈ ગઈ તો તેને મારવાની ધમકી આપી હતી. એટલું જ નહીં પત્ની ગીતબેન ડર એટલો હાવી થઈ ગયો હતો કે સેકન્ડોમાં પતિ કિશોરનું મોત થઈ ગયું હતું છતાં પત્નીએ પતિ કિશોરનું એક કલાક સુધી દુપટ્ટો ગળે બાંધી બેસી રહી હતી કે કિશોર જીવી જશે તો તેને ફરી મારશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir