બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / If the government says there is fertilizer, why the complaints of the farmers, why the pressure to take nano urea? What is the truth about the shortage of urea fertilizer in the state?
Vishal Khamar
Last Updated: 09:38 PM, 1 August 2023
રાજ્યમાં ખેડૂતો અને જનસામાન્યને સંતુષ્ટિ થાય એટલો વરસાદ તો વરસી ગયો છે. ખેડૂતો માટે વાવણીનો સારો સમય છે ત્યારે એવી વાતો સામે આવી રહી છે કે યુરિયા ખાતરની અછત છે. રાજ્યના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં ખેડૂતો યુરિયા ખાતર માટે કલાકો લાઈનમાં ઉભા રહે અને તેમ છતા તેને ખાતર મળે નહીં. સ્વભાવિક છે કે સામે પક્ષે સરકાર પણ આંકડાનો હવાલો આપીને દાવો કરી રહી છે કે રાજ્યમાં ખાતરની કોઈ તંગી નથી અને જિલ્લા પ્રમાણે પૂરતુ ખાતર મળી રહ્યું છે.
સરકારનો તર્ક છે કે નેનો યુરિયા લેવા માટે ખેડૂતો પ્રોત્સાહિત થાય તો સામે પક્ષે કેટલીક જગ્યાએ ખેડૂતો સ્પષ્ટ આક્ષેપ કરે છે કે નેનો યુરિયા લેવા માટે મંડળીઓ ખેડૂતો ઉપર દબાણ કરે છે અને જો નેનો યુરિયા ન ખરીદે તો ખાતર ન આપવાની વાત પણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે તો ફરજના ભાગરૂપે ગુજરાતને વધારાનો યુરિયાનો જથ્થો ફાળવી દીધો છે તો પછી ગુજરાતમાં યુરિયાની અછતની વાત કેમ સામે આવી રહી છે. શું એવા કોઈ સંગ્રહખોરો છે જે અત્યારથી સંગ્રહ કરીને કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા છે?. સરકાર કહે છે કે પુરતુ ખાતર છે તો ખાતરની અછતની ફરિયાદ કેમ.
રાજ્યમાં કેટલાક વિસ્તારમાં યુરિયા ખાતરની તંગી છે. સરકારનો પૂરતા ખાતરનો દાવો છતા અછતની બૂમ કેમ પડી રહી છે. યુરિયા ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા હોય તેવા અનેક બનાવ. કલાકો લાઈનમાં ઉભા રહેવા છતા ખાતર મળતું નથી. સરકારે સંગ્રહખોરો તરફ પણ અંગૂલીનિર્દેશ કર્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાતરની અછતના અનેક બનાવ બન્યા છે.
ગુજરાતને યુરિયાનો કેટલો જથ્થો મળ્યો? |
8.61 લાખ મેટ્રિક ટન |
યુરિયાનો કેટલો જથ્થો વપરાયો? |
6.22 લાખ મેટ્રિક ટન |
સરકાર પાસે હાલ કેટલો જથ્થો? |
2.55 લાખ મેટ્રિક ટન |
કેન્દ્ર તરફથી શું મદદ મળી? |
વધારાના 15 હજાર મેટ્રિક ટન યુરિયાનો જથ્થો |
ક્યાં જોવા મળી યુરિયાની અછત?
સુરત
જામનગર
અમરેલી
અમરેલી
રાજકોટ
મોરબી
સુરેન્દ્રનગર
ખેડૂતોની મુશ્કેલી શું છે?
જરૂર હોય ત્યારે ખાતર મળતું નથી. હાલ વાવણીની સિઝન છે પરંતુ પૂરતું ખાતર મળતું નથી. યોગ્ય સમયે ખાતર નહીં મળે તો સિઝન પૂરી થઈ જશે. ખેતરમાં કામ વધુ છે તેના બદલે ખાતર માટે ધક્કા ખાવા પડે છે. ખેડૂતોનો એવો આરોપ છે કે સબ્સિડીવાળુ ખાતર ખાનગી કેમિકલ કંપનીમાં જાય છે. ખેડૂતો ઉપર નેનો યુરિયા લેવા દબાણ કરવામાં આવે છે. નેનો યુરિયા ન લે તો યુરિયાનો જથ્થો આપવામાં આવતો નથી.
યુરિયા ખાતર અંગે સરકારનો જવાબ
રાજ્યમાં ખાતરની તંગી નથી. મંડળી ખોટા જવાબ આપે તો ખેડૂતો રજૂઆત કરે છે. નેનો યુરિયા બાબતે ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે. ખેડૂતો નેનો યુરિયાનો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહન જરૂરી છે. જરૂરિયાત મુજબનું ખાતર દરેક જિલ્લામાં છે. ખાતરની સંગ્રહખોરી ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. 3 મહિનામાં સરકારે 12 જેટલી FIR કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir