બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / અમદાવાદ / If KYC is not done till March 19, account holders of this bank will be frozen
Ajit Jadeja
Last Updated: 03:16 PM, 18 March 2024
પંજાબ નેશનલ બેંકના ખાતાધારકો 19 માર્ચ સુધીમાં KYCની માહિતી અપડેટ નહીં કરાવે તો તેઓની એકાઉન્ટ સંબંધિત સેવાઓને બંધ થઇ જશે.સાથે તેમનું એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવી શકે છે. બેંકના જણાવ્યા અનુસાર 19 માર્ચ સુધી ગ્રાહકોએ KYC કરાવી જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવાનું રહેશે.જે ખાતાધારકોએ 31 ડિસેમ્બર, 2023 સુધી તેમના એકાઉન્ટનું KYC અપડેટ કરાવ્યુ નથી તે લોકો માટે આ ડેડલાઈન જાહેર કરવામાં આવી છે. PNB દ્વારા અનેક વખત KYC કરાવાની જાણકારી આપવામાં આવી હતી પરંતુ ઘણા ખાતાધારકોનુું KYC બાકી રહી ગયુ હોવાથી હવે આ ડેડલાઈન આપવામાં આવી છે.
PNBના ખાતાધારકોએ તેમની શાખાએ પહોંચી તેમના ID, સરનામાંનો પુરાવો, ફોટોગ્રાફ, પાન કાર્ડ, આવકનો પુરાવો, મોબાઇલ નંબર વગેરે વિશેની માહિતી આપવાની રહેશે. ખાતાધારકો બ્રાન્ચમાં જઈને અથવા PNB એપ્લિકેશન અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા પણ KYC અપડેટ કરી શકે છે.
જાણો KYCનો નિયમ
KYC હેઠળ, બેંકો ઓળખ અને સરનામા માટે જરૂરી ડોક્યુમેન્ટ માંગે છે. આ ડોક્યુમેન્ટ સાથે અરજીમાં અપાયેલી માહિતીનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવે છે. ગ્રાહક દ્વારા આપવામાં આવેલી માહિતીનો મેળ ખાય છે કે નહીં તે ચકાસણી પછી જ ગ્રાહકોને બેંક સેવાઓ ઓફર કરી શકાય છે. KYC ન કરાયેલુ હોય તો બેંક સર્વિસ આપવાનું બંધ કરી શકે છે. નવા અને જૂના ખાતાધારકોએ બંનેએ KYC પ્રક્રિયાને અનુસરવી પડે છે. જૂના ખાતાધારકોએ રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર KYC અપડેટ કરવું પડે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir