બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / Politics / રાજકોટ / 'I want assembly ticket, I want to be a minister but I don't want to form page committee', says CR Patil
Mehul
Last Updated: 08:52 PM, 5 March 2022
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોનું લક્ષ્ય લઈને ચાલતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર પાટીલ રાજકોટમાં એક તબક્કે રાતા ચોળ થઇ ઉઠ્યા હતા. વિધાનસભા ચૂંટણી ને આડે હવે ગણતરીના મહિનાઓ જ છે ત્યારે, પેજ કમિટિનું કામ પૂરૂ નાં થયું હોવાની નોંધ લઈને પાટીલે કાર્યકર્તાઓ પર સીધા સવાલ ઉઠાવ્યા હતા. અધ્યક્ષ પાટીલે કહ્યું કે, રાજકોટમાં પેજ કમિટીનું કામ 100 % નથી થયું. અહીં લાખો કાર્યકર્તા છે છતાં પેજ કમિટી કેમ ન બની ? મંત્રી અરવિંદ રૈયાણીના વિસ્તારમાં જ પેજ કમિટી બની નથી ? વિધાનસભા ચૂંટણીમાં ટીકીટ વાંછુંઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, વિધાનસભા ટિકિટ જોઇએ છે, મંત્રી બનવું છે પણ પેજ કમિટી બનાવવી નથી. આ બધું મને પસંદ નથી, કાલે મને આંકડા આપો. રાજકોટમાં પાટીલના આકરા વલણથી શહેર ભાજપમાં હડબડાટ ફેલાઈ ગયો છે.
રાજકોટમાં સી.આર પાટીલની મોહનભાઈ કુંડારિયાને પણ ટકોર કરી હતી. બાળકોને દત્તક લેવા સૂચના આપવામાં આવી હતી.અને ગામડામાં રોડ રસ્તા મામલે સાંસદો તાત્કાલિક ગ્રાંટ ફાળવે
યુક્રેનના વિધાર્થીઓના વાલીગણ સાથે મુલાકાત
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધને કારણે ગુજરાત રાજયના રાજકોટ જીલ્લાના આશરે 65 જેટલા વિદ્યાર્થીઓ જે બેલારુસમાં અટવાયા છે તે વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે મુલાકાત કરી વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા રજૂઆત કરી હતી.
સી.આર.પાટીલએ વાલીઓ સાથે મુલાકાત કર્યા પછી મીડિયાને સંબોધતા જણાવ્યું કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે આપણા દેશના ઘણા વિદ્યાર્થીઓ અટવાયા છે જેમા ગુજરાત રાજયના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજય સહિત દેશના તમામ વિદ્યાર્થીઓને પરત લાવવાની ચિંતા કરીને ઓપરેશન ગંગા હેઠળ કેન્દ્ર સરકારના ચાર સિનિયર કેબિનેટ કક્ષાના મંત્રીઓને યુક્રેન આસપાસના દેશોમાં મોકલી ત્યાથી વિદ્યાર્થીઓને પરત લાવવાનો સફળ પ્રયત્ન શરૂ કર્યો છે. વડાપ્રધાનના પ્રયાસથી ખૂબ મોટી સંખ્યામાં આપણે વિદ્યાર્થીઓને પરત લાવવામાં સફળ થયા છીએ.પરંતું મળતી માહિતીના આધારે હજુ કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા છે.
આજે રાજકોટ ખાતે વિદ્યાર્થીઓના વાલીઓએ પણ વિદ્યાર્થીઓને પરત લાવવા રજૂઆત કરી છે. યુક્રેનમાં જે વિદ્યાર્થીઓ ફસાયા છે તેમને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ જે રીતે આપણા દેશનું વિદેશ મંત્રાલય કામ કરી રહ્યું છે અને સમગ્ર ઓપરેશન પર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ પોતે ધ્યાન રાખી રહ્યા છે તેમજ અધિકારીઓ સાથે ચર્ચા કરી બાકીના જે પણ વિદ્યાર્થીઓ રહી ગયા છે તેમને પણ સહીસલામત ભારત લઇ આવશે. યુક્રેન તેમજ આસપાસના ઘણા અટવાયેલા વિદ્યાર્થીઓના વિડીયો પણ અમને મળ્યા છે અમે તેમાથી ઘણા વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં છીએ .
સી.આર.પાટીલ એ વાલીઓને વિશ્વાસ અપાવતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન ગંગા હેઠળ દરેક ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત ભારત લઇ આવશે. અને આજે જે વાલીઓએ રજૂઆત કરી છે તેમની રજૂઆત સાંભળી છે અને વિદ્યાર્થીઓને વતન પરત લાવવાનો પ્રયત્ન કરીશું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir