બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 02:13 PM, 6 October 2023
પોતાનું ઘર ખરીદવાનું ઘણા લોકોનું સપનું હોય છે. ઘણી એવી બેંક છે જે હોમ લોનની સુવિધા આપે છે. જણાવી દઈએ કે સરકારી અને પ્રાઈવેટ બન્ને પ્રકારની બેંક હોમ લોન ઓફર કરે છે.
જો તમે પણ ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારે વ્યાજદર વિશે જાણકારી લેવાની સાથે NOCના વિશે પણ જાણકારી મેળવવી લેવી જોઈએ. આજે અમે તમને જણાવી દઈએ કે NOCનો હોમ લોનમાં શું રોલ હોય છે અને આ કેવી રીતે હેલ્પ કરે છે.
NOCની જરૂર કેમ?
નો ઓબ્ઝેક્શન સર્ટિફિકેટ્સની (NOC) જરૂર લોનની રકમ પસંદ કરવા માટે પડે છે. જો તમે કોઈ બેંક પાસે લોનની વાત કરી રહ્યા છો તો સાથે તેના સાથે આના વિશે પણ પુછી લો કે વચ્ચે વચ્ચે જમા રકમ કરવામાં આવે તો NOC કેટલા દિવસમાં મળી જશે. માની લો કે તમે 30 વર્ષ માટે હોમ લોન લીધી છે અને તમે તેને 5 વર્ષમાં પુરી રકમ ચુકવી દો છો તો NOC તેના કેટલા દિવસમાં મળશે. લોન ચુકવ્યા બાદ NOC પ્રાપ્ત કરવાનું ભલી જવા પર નાણાકીય અને કાયદાકીય રીતે મુશ્કેલી ઉભી કરી શકે છે.
લોન એનઓસી એક ખાસ દસ્તાવેજ હોય છે જે ખાસ પ્રમાણ છે કે તમે ઉધાર લીધેલી રકમની ચુકવણી કરી છે અને લોન સાથે સંબંધિત બધી જવાબદારીઓને પુરી કરી લીધી છે.
વ્યક્તિગત લોનની તુલનામાં હોમ લોનના રીપેમેન્ટ બાદ NOC પ્રાપ્ત કરવું વધારે મહત્વપૂર્ણ છે. આ લોન બંધ કરવાની પ્રક્રિયાનો ભાગ હોય છે જે તમને સંપત્તિની એમાઉન્ટ સાથે જોડાયેલા કોઈ પણ વિવાદથી બચાવવામાં મદદ કરશે. આવો સમજીએ કે તેના ફાયદા અને નુકસાન શું છે?
પડે છે ક્રેડિટ સ્કોરની અસર
આ તમારા ક્રેડિટ સ્કોરને નેગેટિવ રીતે પ્રભાવિત કરી શકે છે. કોઈ વ્યક્તિની શાખની ગણતરી કરવા માટે ટ્રાન્ઝેક્શન ક્રેડિટ રિપોર્ટ પર વિશ્વાસ કરે છે. NOC વગર લોન તમારી ક્રેડિટ રિપોર્ટ પર પેંડિંગ દેખાતી રહેશે જેનાથી તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક પ્રભાવ પડશે.
આ ભવિષ્યમાં કોઈ અન્ય આવાસ લોન કે વ્યક્તિગત લોન જેવા ક્રેડિટ સર્વિસ સુધી તમારી પહોંચને પણ પ્રભાવિત કરી શકે છે. આટલું જ નહીં જો ભવિષ્યમાં તમે તે ઘરને વેચવા માંગો છો તો વગર હોમ લોન NOCએ નહીં વેચી શકો. કારણ કે બાયર્સને લાગે છે કે તમે લોનની રકમ નથી ચુકવી.
વ્યાજ અને અન્ય ખર્ચ
ઘણી વખતે એવું જોવામાં આવ્યું છે કે વ્યક્તિ લોનની પુરી રકમ જમા કરી દે છે તેમ છતાં તેની પાસે લોન ચુકવવાનો મેસેજ આવે છે અને વ્યાજ પણ વધતું રહે છે હકીકતે તેની પાછળ કારણ એ હોય છે કે બેંક વગર NOCએ ઘણી વખત તમારી લોનને ક્લોઝ નથી કરી શકતી.
તેમની પાસે આ કેસમાં લોન લેનાર પર કાયદાકીય કાર્યવાહી કરવાનો અધિકાર હોય છે. માટે પરિણામસ્વરૂપ કેસ, સંપત્તિ જપ્ત કે વેતન હાનિ થઈ શકે છે. બાદમાં આ તમારા માટે નાણાકીય બોજ પેદા કરી શકે છે. માટે NOC રકમ ચુકવ્યા બાદ તરત બેંક પાસેથી લઈ લો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir