બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Historic judgment in Valsad accident damages case
Dinesh
Last Updated: 10:17 PM, 7 March 2023
વલસાડમાં અકસ્માત નુકસાનીના કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પરિવારને રૂપિયા 4.30 કરોડનુ વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. શ્રીરામ ફાયનાન્સ કંપનીને અકસ્માત વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 32 વર્ષીય હિતેશ ટંડેલનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મૃતકના પત્નીએ વળતર મેળવવા કોર્ટમાં અરજી કરી હતી.
વલસાડ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વલસાડ જિલ્લાની કોર્ટે અકસ્માતના કેસમાં વળતર અંગે ઐતિહાસિક ચુકાદો આપી 12 વર્ષીય બાળકીને રૂપિયા 4 કરોડ 30 લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. કોર્ટના આ હુકમથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બનાવી દીધું છે. આ કેસની વિગતે વાત કરીએ તો, વર્ષ 2010માં વલસાડના કોસંબા ગામે રહેતા અને શીપમાં ફરજ બજાવતા 32 વર્ષીય હિતેશભાઈ મનુભાઈ ટંડેલ તારીખ 18 માર્ચ 2010ના રોજ મુંબઈથી વલસાડ તરફ પરિવાર સાથે કારમા આવી રહ્યા હતા. તે દરમિયાન અમદાવાદ મુંબઈ હાઇવે પર કાશા પોલીસ સ્ટેશન નજીક એક ટ્રક અને અન્ય એક કાર સાથે અકસ્માતમાં હિતેશભાઈ ટંડેલનું મોત નિપજયુ હતું.
એક્સીડેન્ટલ ટ્રિબ્યુનલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
જેમાં ટ્રક ચાલક અને વીમા કંપની શ્રી રામ જનરલ વિરૂદ્ધ મહારાષ્ટ્રની દાહણું નામદાર કોર્ટમાં કેશ થયો હતો. જેમાં અકસ્માતમા મૃત્યુ પામનાર હિતેશભાઈની વિધવા રત્નાબેન ટંડેલ અને તેમના ગર્ભમાં રહેલી શ્રેયા હિતેશ ટંડેલ નાઓને વલસાડ જિલ્લાની મોટર એક્સીડેન્ટલ ક્લેમ ટ્રિબ્યુનલમાં નુકશાની વળતર મેળવવા માટે વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ભરત ડી. દેસાઈ તથા તેમના પુત્ર મનહરસિંહ ભરતભાઈ દેસાઈ મારફત રૂપિયા 3 કરોડની નુકશાની મેળવવા માટે અરજી કરી હતી.
પરિવારને રૂ.4.30 કરોડનુ વળતર ચૂકવવા આદેશ
આ દરમિયાન હિતેશભાઈ ટંડેલની પત્નીએ પુત્રી શ્રેયાને જન્મ આપ્યા બાદ કોરોના કાળ દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતું. જેમાં એડવોકેટ ભરતભાઈ દેસાઈએ નામદાર હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ બિડાણ કરી દલીલો કરતા નામદાર કોર્ટે ઐતહાસિક ચુકાદો આપતાં 12 વર્ષની બાળકી શ્રેયાને રૂપિયા 4 કરોડ અને 30 લાખનું વળતર આપવાનો હુકમ કર્યો છે. આમ અકસ્માતમાં પિતા અને કોરોનામાં માતાની છત્રછાયા ગુમાવતા પુત્રી શ્રેયા અત્યારે 12 વર્ષની થઈ છે. અકસ્માત વખતે જે પુત્રી માતાના ગર્ભમાં હતી તે પુત્રીના અકસ્માત બાદ જન્મ અને આજે 12 વર્ષની થયા બાદ કોર્ટે ચુકાદો આપી બાળકીને 4 કરોડ 30 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરતા બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir