બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Himmatnagar-Khambhat violence: CM Bhupendra Patel big statement

BIG NEWS / હિંમતનગર-ખંભાત હિંસા: CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, કહ્યું શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં

Vishnu

Last Updated: 07:45 AM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CM ભૂપેન્દ્ર પટેલે બેઠક બાદ કહ્યું સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે

  • હિંમતનગર અને ખંભાતની ઘટનાઓને લઇ સરકારની બેઠક
  • CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક
  • રાજ્યની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના

રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાથી ફરી રાજ્યની સાંપ્રદાયિકતા દૂષિત થઈ હતી. હિંમતનગરમાં ઉભા થયેલા હિંસક ઘર્ષણને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP, રેન્જ IG, જિલ્લા SP સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં સ્થાનિક આગેવાનોને પણ બોલાવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને રાતે બેઠક બોલાવી હતી. જેમાં હિંમતનગર અને ખંભાતની ઘટનાઓની તમામ માહિતી અને હાલની સ્થિતિ પર સીએમ ભૂપેન્દ્ર પટેલને વાકેફ કરવામાં આવ્યા હતા. 

શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં: CM
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી DGP તથા મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં. ખંભાતની ઘટનામાં 9 આરોપીઓની ધરપકડ કરી જ્યારે હિંમતનગરની ઘટનામાં 22 આરોપીઓની ધરપકડ કરાઇ છે. બંને શહેરોની ઘટનાઓ મુદ્દે CMને માહિતી આપવામાં આવ્યા બાદ તેમણે કડકમાં કડક પગલા લેવાના આદેશ આપી દીધા છે.

DGP આશિષ ભાટીયાએ કહ્યું- કમ્યુનલ એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી
તો આ તરફ હિંમતનગરમાં આજે સાંજે થયેલી બેઠક પૂર્ણ થયા પછી DGP આશિષ ભાટીયાએ માહિતી આપતા કહ્યું કે ફરીથી કોઇ આવી ઘટના ન બને તેનું ધ્યાન રખાવામાં આવશે. કમ્યુનલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. ઘટના અંગે ગુના દાખલ કરી તપાસ અને આરોપીઓને પકડવા માટે અલગ- અલગ ટીમની રચના કરવામાં આવી છે. પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી અસામાજિક તત્વોને આવતા રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કોઇ તોફાન કરી ફરાર ન થાય તેની તકેદારી રખાવામાં આવશે. તે સાથે RAFની 2, SRP ની 4 ટીમો પણ તૈનાત કરાઈ છે

સોમવારની રાત્રે હિંમતનગરના હસનનગરમાં ફરી ભડકી હતી હિંસા
10 એપ્રિલ 2022ના રોજ હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જે બાદ સોમવારની રાત્રે 11 વાગ્યા આસપાસ સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો. હસનનગર વિસ્તાર માંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી. હસનનગર વિસ્તારમાં આવેલા  વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા સ્થિતિ થોડી ઘડીઓ માટે અજંપાભરી થઈ ગઈ હતી. સામ સામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસ જે ઘટના સ્થળે હતી  પણ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો ફરી હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યા હતા. તે ઉપરાંત પેટ્રોલ બોમ્બ પણ અલગ અલગ જગ્યાએથી નાખવામાં આવી રહ્યા હતા જેના કારણે પોલીસને પણ સ્થતિ સમજવામાં સમય લાગી રહ્યો હતો. ભારે જહેમત બાદ ત્યાં કાબૂ મેળવવામાં આવ્યો હતો.

વણજારાવાસના કેટલાક લોકોએ હિજરત કરવાનો કર્યો પ્રયાસ, પોલીસે સમજાવ્યા
હિંમતનગરમાં ગતરોજ દિવસ દરમિયાન શાંતિ રહ્યા બાદ ઉપદ્રવીઓ દ્વારા રાત્રીના અંધારાનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં વણજારાવાસમાં આગચંપીના બનાવો પણ બન્યા હતા. આ બનાવને પગલે વણજારાવાસના કેટલાક લોકોએ હીજરતનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા સમજાવવામાં આવતાં પરિવારો પરત ફર્યા હતા. પોલીસ દ્વારા પણ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ડ્રોન દ્વારા શહેરના વિસ્તારોની પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. પોલીસના દાવા મુજબ હિંમતનગરમાં હાલ તો સ્થિતિ કાબુમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ