બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vishnu
Last Updated: 07:45 AM, 13 April 2022
રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાથી ફરી રાજ્યની સાંપ્રદાયિકતા દૂષિત થઈ હતી. હિંમતનગરમાં ઉભા થયેલા હિંસક ઘર્ષણને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી, DGP, રેન્જ IG, જિલ્લા SP સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં સ્થાનિક આગેવાનોને પણ બોલાવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને રાતે બેઠક બોલાવી હતી. જેમાં હિંમતનગર અને ખંભાતની ઘટનાઓની તમામ માહિતી અને હાલની સ્થિતિ પર સીએમ ભૂપેન્દ્ર પટેલને વાકેફ કરવામાં આવ્યા હતા.
શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં: CM
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી DGP તથા મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં. ખંભાતની ઘટનામાં 9 આરોપીઓની ધરપકડ કરી જ્યારે હિંમતનગરની ઘટનામાં 22 આરોપીઓની ધરપકડ કરાઇ છે. બંને શહેરોની ઘટનાઓ મુદ્દે CMને માહિતી આપવામાં આવ્યા બાદ તેમણે કડકમાં કડક પગલા લેવાના આદેશ આપી દીધા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે હીંમતનગર અને ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી ઘટનાઓની સમીક્ષા માટે ગૃહ વિભાગની બેઠક યોજી હતી તથા શાંતિ ડહોળવા માગતા તત્વો સામે કડકાઇથી પેશ આવવાની સૂચના આપીને રાજ્યમાં શાંતિ, સલામતિ, સામાજીક સૌહાર્દ જાળવવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી pic.twitter.com/PTdfWW8H89
— CMO Gujarat (@CMOGuj) April 12, 2022
DGP આશિષ ભાટીયાએ કહ્યું- કમ્યુનલ એક્ટ હેઠળ કરાશે કાર્યવાહી
તો આ તરફ હિંમતનગરમાં આજે સાંજે થયેલી બેઠક પૂર્ણ થયા પછી DGP આશિષ ભાટીયાએ માહિતી આપતા કહ્યું કે ફરીથી કોઇ આવી ઘટના ન બને તેનું ધ્યાન રખાવામાં આવશે. કમ્યુનલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. ઘટના અંગે ગુના દાખલ કરી તપાસ અને આરોપીઓને પકડવા માટે અલગ- અલગ ટીમની રચના કરવામાં આવી છે. પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી અસામાજિક તત્વોને આવતા રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કોઇ તોફાન કરી ફરાર ન થાય તેની તકેદારી રખાવામાં આવશે. તે સાથે RAFની 2, SRP ની 4 ટીમો પણ તૈનાત કરાઈ છે
સોમવારની રાત્રે હિંમતનગરના હસનનગરમાં ફરી ભડકી હતી હિંસા
10 એપ્રિલ 2022ના રોજ હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જે બાદ સોમવારની રાત્રે 11 વાગ્યા આસપાસ સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો. હસનનગર વિસ્તાર માંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી. હસનનગર વિસ્તારમાં આવેલા વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા સ્થિતિ થોડી ઘડીઓ માટે અજંપાભરી થઈ ગઈ હતી. સામ સામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસ જે ઘટના સ્થળે હતી પણ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો ફરી હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યા હતા. તે ઉપરાંત પેટ્રોલ બોમ્બ પણ અલગ અલગ જગ્યાએથી નાખવામાં આવી રહ્યા હતા જેના કારણે પોલીસને પણ સ્થતિ સમજવામાં સમય લાગી રહ્યો હતો. ભારે જહેમત બાદ ત્યાં કાબૂ મેળવવામાં આવ્યો હતો.
વણજારાવાસના કેટલાક લોકોએ હિજરત કરવાનો કર્યો પ્રયાસ, પોલીસે સમજાવ્યા
હિંમતનગરમાં ગતરોજ દિવસ દરમિયાન શાંતિ રહ્યા બાદ ઉપદ્રવીઓ દ્વારા રાત્રીના અંધારાનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં વણજારાવાસમાં આગચંપીના બનાવો પણ બન્યા હતા. આ બનાવને પગલે વણજારાવાસના કેટલાક લોકોએ હીજરતનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા સમજાવવામાં આવતાં પરિવારો પરત ફર્યા હતા. પોલીસ દ્વારા પણ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં ડ્રોન દ્વારા શહેરના વિસ્તારોની પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. પોલીસના દાવા મુજબ હિંમતનગરમાં હાલ તો સ્થિતિ કાબુમાં છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir