બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 03:47 PM, 24 November 2023
વધતા પ્રદૂષણથી બચવા માટે હેલ્થ એક્સપર્ટ પણ લોકોને સતત માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જોકે વાયુ પ્રદુષણથી બચવા માટે ભોજન પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો તમારી ઈમ્યુનિટી મજબૂત છે તો તમે દરેક સીઝનમાં હેલ્ધી રહી શકો છો.
જો અમે તમને કહીએ કે ચા પીને તમે પોતાની જાતને વધતા પ્રદૂષણ સામે હેલ્ધી રાખી શકો છો તો શું તમે વિશ્વાસ કરશો? અમુક એવી ચા વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે તમારૂ સ્વાસ્થ્ય સારૂ કરવાની સાથે જ તમને આ સિઝનમાં ગરમ રાખવામાં પણ મદદ કરશે.
વાયુ પ્રદૂષણથી કઈ રીતે બચાવે છે ચા?
સતત વધતા પ્રદૂષણના કારણે ઘણા લોકોને ખાંસી, છીંક, ગળા અને આંખોમાં બળતરાની સમસ્યા થઈ રહી છે. એવામાં આ સમસ્યાથી રાહત મેળવવા માટે ચાનો ઉપયોગ કરી શકો છો. હકીકતે ચામાં ભારે પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વાયુ પ્રદૂષણથી થતા ડેમેજથી બચાવે છે. ખાસ પ્રકારે ગ્રીન ટી પીવાના ઘણા ફાયદા છે અને તે તમારા ફેફસાને સાફ કરવામાં મદદ કરે છે.
લેમન હની ગ્રીન ટી
ગ્રીન ટીને લોકો વેટ લોસ માટે પીવે છે પરંતુ શું તમે જાણો છો કો આ તમારા ફેફસા માટે પણ ગુણકારી છે. ખાસ કરીને લીંબુનો રસ અને મધ મિક્ષ કરીને પીવાથી શરીરમાં હાજર બધા ટોક્સિન્સ બહાર નિકળી જાય છે અને આપણે ફેફસાને સંપૂર્ણ રીતે સાફ કરવામાં મદદ કરે છે.
કેમોમાઈલ ટી
જો તમે વધતા પ્રદૂષણમાં પોતાને હેલ્ધી રાખવા માંગો છો તો કેમોમાઈલ ટી એક સારો ઓપ્શન સાબિત થશે. તેમાં એન્ટી-ઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જે તમારા ગળામાં સોજા અને દુખાવાને ઓછુ કરવામાં મદદ કરે છે. તેની સાથે જ તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ટિશૂઝને રિપેર કરવામાં મદદ કરે છે અને ખાંસીને ઓછી કરવા માટે એન્ટીસ્પાસ્મોડિક ક્રિયા આપે છે.
આદુની ચા
ચાના શોખીન લોકોને આદુની ચા સૌથી વધારે પસંદ હોય છે. સ્વાદિષ્ટ હોવાની સાથે તે સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ છે. તેમાં આદુમાં જિંજરોલ નામના એક કમ્પાઉન્ડ હોય છે. જે તમારા શરીર પર એન્ટી-ઈન્ફ્લામેટરી પ્રભાવ છોડે છે. તે પ્રદૂષણના કારણે થતા એયરવેના સોજાને ઓછુ કરવામાં મદદ કરે છે. જ્યારે આદુને ચાની સાથે મિક્સ કરવામાં આવે છે તો તે તમને આખો દિવસ સ્વસ્થ્ય અને ફ્રેશ રાખે છે.
કહવા કે કશ્મીરી ચા
કહવા એક પારંપરિક કાશ્મીરી ચા છે. તેમાં કેસર, ઈલાયચી, બદામ અને ગ્રીન ટીના પાન મિક્સ કરીને તૈયાર થાય છે. આ તમને હેલ્ધી બનાવી રાખવાની સાથે જ તમારા શરીરને ગરમી આપે છે અને ખતરનાક પ્રદૂષણોથી તમારા ફેફસાના સ્વાસ્થ્યની રક્ષા કરે છે.
મસાલા ચા
શિયાળામાં મસાલા ચા પીવાની એક અલગ જ મજા હોય છે. તેને સામાન્ય રીતે આદુ, તજ, લવિંગ, જાયફળ વગેરેની સાથે બનાવવામાં આવે છે. જે એન્ટી ઈન્ફ્લામેન્ટરી, એન્ટી વાયરલ અને એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપુર હોય છે. જે તમારી રેસ્પિરેટરી હેલ્થને સારી બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir