બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 11:10 PM, 31 July 2023
માનવ શરીરને ધબકતું રાખવામાં પાણીનું અમૂલ્ય યોગદાન હોય છે અને પાણીને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ શું ખોરાક ખાધા પછી તરત પાણી પીવું જોઈએ તે યોગ્ય છે? જેના જવાબમાં વધુ શાકભાજી ખાધા બાદ પાણી પીવું જોઈએ તો મસાલેદાર ખોરાક લીધા બાદ ઠંડુ પાણી ક્યારે પીવું ન જોઈએ આવો જાણીએ!
જામફળ, કેળા, સફરજન,તરબૂચ ખાધા પછી પાણી પીવું
નિષ્ણાતો દ્વારા એવો દાવો કરવામાં આવે છે કે જો તમે શાકભાજી અને ફળોનો જમવામાં ઉપયોગ કર્યો હોય તો પાણી જમ્યા પછી પાણી પીવું ફાયદાકારક છે. કારણ કે ફળો અને શાકભાજીમાં સામાન્ય રીતે ફાઇબરનું પ્રમાણ હોય છે. જે આપણને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ઝેરી તત્વોને બહાર છોડે છે. આથી પુષ્કળ પાણી પીવાથી પાચનતંત્ર દ્વારા ફાઈબરની હિલચાલ કરવામાં મદદ મળે છે. આથી જામફળ, કેળા, સફરજન,તરબૂચ સહિતના ફળો અને શાકભાજી ખાધા પછી તરત જ પાણીનું સેવન કરવું ફાયદાકારક ગણવામાં આવે છે.
સ્ટાર્ચયુક્ત ખોરાક ખાધા પછી તરત પાણી ક્યારેય ન પીવું
બીજી બાજુ સ્ટાર્ચથી ભરપૂર ખોરાક ખાધા પછી પાણી ન પીવા અંગે નિષ્ણાંત દ્વારા સલાહ આપવામાં આવે છે. દાવા અનુસાર બ્રેડ, પાસ્તા અને બટાટા જેવા સ્ટાર્ચયુક્ત ખોરાક ખાધા પછી તરત પાણી ક્યારેય ન પીવું જોઈએ. વધુ પડતું પાણી સાથે ખોરાક ખાવાથી પણ અપચો થઈ શકે છે. આવો ખોરાક ધીરે ધીરે પચે છે અને જો તેમાં પાણી પીવામાં આવે તો અપચો અને પેટનું ફુલવું એટલે કે ગેસ જેવા લક્ષણો થઈ શકે છે.
પાણી માટે 30 મિનિટનો સમયગાળો લેવો જોઈએ
તે જ રીતે મસાલેદાર ખોરાક ખાધા પછી ઠંડુ પાણી પીવું ન જોઈએ. જો ઠંડુ પાણી પીવામાં આવે તો પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે અને ઠંડુ પાણી પાચન ક્રિયાને ઝટકો આપી શકે છે. આથી સમયાંતરે પાચન ક્રીયા મંદ પડતી જતી હોય છે અને પોષક તત્વોનું પાચન કરવું મુશ્કેલ બની જાય છે. આથી જમ્યા પછી તરત જ બરફનું ઠંડુ પાણી પીતા પહેલા ઓછામાં ઓછા 30 મિનિટનો સમયગાળો લેવો જોઈએ. અપચાથી દૂર રહેવા માટે જમ્યા પછી થોડી ગરમ હર્બલ ટી પીવાનો આગ્રહ રાખવો જોઈએ. આદુ ફુદીનો અને કોમોમાઇલ જેવી અને અનેક ઔષધીમાંથી બનતી ચા તમારા પાચનતંત્રને શરુ રાખી શકે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir