બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / HC questioned SP Ravi Teja regarding death of SRP jawan in Junagadh
Dinesh
Last Updated: 03:59 PM, 11 August 2023
જૂનાગઢમાં પોલીસ ડ્રાઇવરના રહસ્યમય મૃત્યુ કેસમાં હાઇકોર્ટે પોલીસ અધિકારીઓની ઝાટકણી કાઢી વેધક સવાલો કર્યા છે. SRP જવાનના રહસ્યમય મોતના 5 મહિના બાદ પણ ફરિયાદ ન નોંધાતા હાઇકોર્ટે આજે જૂનાગઢના તત્કાલિન એસપી રવિ તેજા અને એ ડિવિઝનનના પોલીસ ઇન્સ્પેક્ટરને વેધક સવાલો કર્યા હતા.
HCના હુકમ બાદ પોલીસ નોંધશે ફરિયાદ!
હાઇકોર્ટે બંન્ને પોલીસ અધિકારીઓને સવાલ કરતાં કહ્યું કે, માર્ચથી અત્યાર સુધીમાં શું તપાસ કરી તે અંગે રિપોર્ટ માગ્યો તેમજ હાઇકોર્ટે સાંજ સુધીમાં હત્યાની ફરિયાદ નોંધી સમગ્ર કેસ અંગે ગૃહસચિવને જાણ કરવા પણ હુકમ કર્યો છે. હાઇકોર્ટે સમગ્ર કેસમાં તત્કાલિન એસપી રવિ તેજાને સવાલ કર્યો કે હત્યા બાદ એસપી તરીકે શું તેમણે મૃતકના શરીર પર ઇજાના નિશાન જોયા હતા? શું પોલીસ જવાન ડ્રાઇવર છે તો તેમના મોતને ગંભીરતાથી નહીં લેવાનું?
કેસ અંગે ગૃહ સચિવને જાણ કરવા કોર્ટનો હુકમ
હાઈકોર્ટે કહ્યું હતું કે, માર્ચથી લઈ અત્યાર સુધીમાં તમે શું કર્યુ તેમજ શું તમે SP તરીકે ફોટોગ્રાફ્સ જોયા છે ?. કોર્ટે PIને સવાલ કર્યો હતો કે, તમે અત્યાર સુધીમાં શું કર્યુ. કોર્ટે કહ્યું હતું કે, બંન્ને અધિકારીઓએ ગંભીર ગુનામાં બેદરકારી દર્શાવી છે જે અંગે ગૃહ સચિવને આ અંગે જાણ કરો. હાલ તિરસ્કારનો કેસ કરી રહ્યાં નથી. સમગ્ર કેસ અંગે ગૃહ સચિવને જાણ કરવા કોર્ટનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટના વલણને લઇને પોલીસ અધિકારીઓએ પણ રિપોર્ટ પેન્ડિંગ હોવાના ગોળ ગોળ જવાબ આપ્યા હતા.
શું છે સમગ્ર કેસ
મહત્વનું છે કે, માર્ચ 2023માં જુનાગઢમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ લાવડિયાની લાશ મળી હતી. ઝાડ પર લટકતી લાશને લઇને પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો. જો કે પોસ્ટમોર્ટમમમાં તેમના શરીર પર માર મરાયાના નિશાનો જોવા મળ્યા હતા. પરિવારજનોએ પોલીસના જવાનો દ્વારા કોઇ કારણોસર બ્રિજેશ લાવડિયાની હત્યા કરી દેવાઇ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે હત્યાની આશંકા વચ્ચે પોલીસે સમગ્ર મામલે 5 મહિનાથી ફરિયાદ ન નોંધતા આ મામલે હત્યાની આશંકા વધુ મજબૂત બની હતી. જેને લઇને મૃતકના પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir