બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Vaidehi
Last Updated: 06:54 PM, 6 April 2023
નિકુંજ નાયક પ્રભુ શ્રીનાથજીની ધરતી પર આજે એટલે કે 6 એપ્રિલ 2023નાં હનુમાન જ્યંતિનાં વિશેષ અવસર પર પુષ્ટિમાર્ગીય પ્રધાન પીઠ પ્રભુ શ્રીનાથજીની હવેલીનાં તિલકાયત સુપુત્ર યુવરાજ શ્રી વિશાલ બાવાનાં કરકમળથી ગિરિરાજ પર્વતનાં શિખર પર સ્થાપિત થનારી પવનપુત્ર રામ ભક્ત હનુમાનજીની અલૌકિક 108 ફીટ ઊંચી પ્રતિમા અને હાથ જોડી પ્રભુ શ્રીનાથજીનાં દર્શન કરતી પ્રતિમાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
108 ફૂટ ઊંચી પ્રતિમા બનશે
આ પ્રતિમા તિલકાયત શ્રીની આજ્ઞા તેમજ શ્રી વિશાલ બાવાની પ્રેરણાથી મુંબઈનાં વૈષ્ણવ શ્રી ગિરીશભાઈ શાહ દ્વારા બનાવવામાં આવેલી આ મૂર્તિ 15 ફૂટનાં આધાર પર 108 ફૂટ ઊંચી છે અને દક્ષિણમુખ તરફ હાથ જોડી પ્રભુ શ્રીનાથજીનાં દર્શન કરતી બનશે. તેના મૂર્તિકાર શ્રી નરેશ કુમાવત છે કે જેમણે નાથદ્વાર સ્થિત વિશ્વાસ સ્વરૂપમ શિવ પ્રતિમાનું નિર્માણ કર્યું હતું. હનુમાન જ્યંતિનાં વિશેષ અવસર પર શ્રી વિશાલ બાવાએ 21 પૂજારીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર તેમજ વિધિ વિધાન દ્વારા ભૂમિ પૂજન કર્યું.
પુષ્ટિમાર્ગ અને હનુમાનદાદાનાં ગાઢ સંબંધ વિશે જણાવ્યું
આ અવસર પર શ્રી વિશાલ બાવાએ શ્રી હનુમાનજી પ્રભુનાં પુષ્ટિમાર્ગની સાથે કેવી રીતે તેમનો ગાઢ સંબંધ છે તે જણાવતા પ્રવચનમાં કહ્યું કે પુષ્ટિમાર્ગ તત્વસુખમો માર્ગ છે જેમાં સેવકનું માત્ર એક જ ધ્યેય હોય છે કે સ્વામીને સુખ પહોંચાડવું. શ્રી હનુમાનજીની ભક્તિમાં પણ આ દર્શનીય ભાવ છે જે પુષ્ટિ દર્શાવે છે. શ્રી હનુમાનજીનાં ચરિત્રનું વિસ્તૃત અધ્યનન કરીએ
તો કહી શકાય છે કે તમે પુષ્ટિ ભક્ત સમાન જ છે. સ્વામીને સમર્પિત મર્યાદા ભક્ત માત્ર એટલા માટે જ કહેવામાં આવે છે કારણકે તેમણે પોતાના પ્રભુની ભક્તિ મર્યાદા પુરુષોતમનાં સ્વરૂપમાં જ કરી છે. પુષ્ટિ માર્ગમાં હનુમાનજીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે .
રાજસ્થાનમાં વિશ્વની સૌથી ઊંચી શિવજીની મૂર્તિ તૈયાર
રાજસ્થાનમાં વિશ્વની સૌથી ઊંચી શિવની મૂર્તિ તૈયાર થઈ ચૂકી છે. 369 ફૂટની મૂર્તિનું લોકાર્પણ 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી થશે, જેને લઈ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. 9 દિવસ સુધી ચાલનાર આ ઉત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાશે. આ મૂર્તિ નાથ દ્વારમાં તૈયાર થઈ ચૂકી છે. પ્રતિમાના લોકાર્પણને લઈને સંત કૃપા સનાતન સંસ્થાનના ટ્રસ્ટી મદન પાલીવાલે જણાવ્યું કે વિશ્વની સૌથી ઊંચી શિવ મૂર્તિ 'વિશ્વાસ સ્વરૂપમ' તરીકે ઓળખાશે. પહેલા આ મૂર્તિ 351 ફૂટ સુધીની હતી, ત્યાર બાદ મહાદેવે ગંગાને જટામાં મૂક્યા બાદ શિવ પ્રતિમા 18 ફૂટથી ઊંચી થઈને 369 ફૂટ થઈ ગઈ. જે વિશ્વમાં અનન્ય છે. મદન પાલીવાલે જણાવ્યું હતું કે, આ મહોત્સવમાં 9 દિવસ સુધી ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં મોરારિ બાપુની 9 દિવસીય રામ કથાનો ઉમેરો કરશે.
साक्षी बने उन पलों का, जो कल इतिहास बनेंगे ।
— Statue of Belief (@statueofbelief) October 7, 2022
विश्वास स्वरूपम् का लोकार्पण (The World's Tallest Shiva Statue)
29th October to 6th November 2022.#vishwasswaroopam #statueofbelief #rajasthan #nathdawara #rajasthantourism #festival #india #rajsamand #udaipur #shiva #lordshiva pic.twitter.com/JCkRoRgmF0
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army