બ્રેકિંગ ન્યુઝ
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
VTV / Gujarat High Court orders the government in the case of illegal mining in Gir sanctuary
Vishnu
Last Updated: 05:39 PM, 3 September 2021
ગીર અભ્યારણ્યમાં ખનન પ્રવૃતિ સામે ગુજરાત હાઇકોર્ટ સખ્ત વલણ અપનાવ્યું છે. અભ્યારણ્યમાં ગેરકાયદેસર રીતે ખનન થતુ હોવાની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી જે બાદ આજે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટ ખનન માફિયાઑ સામી કડક વલણ અપનાવ્યું છે. અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે ગેરકાયદે ખનન કરનાર સામે તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરવામાં આવે.
ગેરકાયદે ખનન ચલાવી લેવાય નહીં: HC
ગીર અભ્યારણ્યમાં ખનન પ્રવૃતિ સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે બાદ ગુજરાત હાઇકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ કરતાં કહ્યું છે કે ગેરકાયદે ખનન ચલાવી લેવાય નહીં. ગીર અભ્યારણ્ય-વન્ય જીવોનું રક્ષણ એ સરકારની પ્રાથમિકતા હોવી જોવાની ટકોર કરતાં નિર્દેશ પણ કર્યો છે કે અભ્યારણ્ય વિસ્તારમાં ખનન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે અને ખનન માફિયાઑ પર લગામ લગાવવામાં આવે પણ ગીર તંત્રને અને સરકારને ગેરકાયદે ખનન મામલે હાઈકોર્ટ આ અગાઉ પણ નિર્દેશ કરી ચૂકી છે છતાં પણ ન સરકારના પેટનું પાણી હલે છે ન ગીરના અધિકારીઑનું બસ કાર્યવાહીના નામે ગીરમાં ચાલતા ખનનને વાતો કરી સાઈડ લાઈન કરી દેવાય છે.
ગીરનાર અભ્યારણ ઇકો સેન્સેટિવ ઝોન
આપણા દેશમાં ખનિજચોરી એ મોટું દૂષણ બની ગયું છે...ખનીજ માફિયાઓ તમામ પ્રકારના નિયમો નેવે મૂકીને જમીન ઉસેટી રહ્યા છે, જંગલની કીમતી વસ્તુ અધિકારીઑના મોઢા ભરી ખુલ્લેઆમ જંગલ સંપત્તિનો દૂરપયોગ કરી રહ્યા છે. ગીરનાર અભ્યારણને ઇકો સેન્સેટિવ ઝોન જાહેર કરાયેલો છે, છતાંય કોઈક વખત બ્લાસ્ટ કરીને પથ્થરોનું ખનન થઈ રહ્યું છે તો ક્યાંક જમીન કે રેતી, બસ જાણે ગીરમાં ગેરકાયદે ખનન કરવાની હોડ જામી હોય તેમ ખનન માફિયાઑ બેફામ બની ગયા છે જેમના પર ન સરકારની લગામ છે ન ગીર અભ્યારણના સત્તાધીશોની બસ મોટા પાયે ચાલતા ખનનમાં મહિનામાં એકાદ બે ને પકડી કાર્યવાહીનું તરકટ રચી દેવાય છે પણ ન તો ખનન કરતી મોટી માછલીઓને પકડવામાં આવે છે ન તેના પર કોઈ રોક ટોક રાખવામાં આવે છે જેના લીધે આસપાસના ગામડાઓ તો ચિંતિત બન્યા છે. સાથે સાથે પર્યાવરણ અને વણી પશુઑને પણ મોટી ખલેલ પહોંચી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ