બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / Gujarat government gave good news to these employees, what is the weather forecast? Pakistan hit four defeats
Vishal Khamar
Last Updated: 10:46 PM, 28 October 2023
ચક્રવાતી તોફાનના કારણે ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં વરસાદ થઇ રહ્યો છે. તો બીજી તરફ ઉત્તર ભારતનાં રાજ્યમાંથી ચોમાસાએ સંપૂર્ણ રીતે વિદાય લીધી છે. સાથે સાથે ઘણાં રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું છે. ઉત્તરાખંડ, કાશ્મીરમાં કાતિલ ઠંડી પડી રહી છે. પહાડો પર હિમવર્ષા થઇ રહી છે, જ્યારે દિલ્હી, યુપીમાં ગાઢ ધુમ્મ્સ છવાયું છે. રાજધાની દિલ્હીમાં તાપમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ૩૧ ઓક્ટોબર સુધી દિલ્હીમાં સવારે ધુમ્મસ રહેશે. આ ઉપરાંત આકાશ વાદળછાયું રહેશે. દિલ્હીના ઘણા વિસ્તારોનો AQI ૩૦૦થી ઉપર એટલે કે ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો છે . ગઈ કાલે AQI ૨૫૬ને પાર કરી ગયો હતો. જે હવાની નબળી કક્ષામાં પહોંચ્યો હતો. આ પછી પવનની ગતિ વધતાં અને પ્રદૂષણના પાર્ટિકલ્સમાં વધારો થવાથી હવા વધુ ઝેરી બની છે.
ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા, રખડતા ઢોર, ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યા સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે બિસ્માર રસ્તા અને રખડતાં ઢોરને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લી તક આપી છે. જાહેરહિતની અરજી પર સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, સ્થિતિ સુધારવા અમે એક સપ્તાહનો સમય આપીએ છીએ. સમગ્ર મામલે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 7 નવેમ્બરે હાથ ધરાશે. હાઈકોર્ટના આદેશ પર આજે ત્રણ ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપિલ કમિશનર, પોલીસ કમિશનર તેમજ શહેરી વિકાસ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને પ્રિન્સીપાલ સેક્રેટરીનો ઉધડો લીધો હતો.
આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. તેમ નાણાં વિભાગની યાદીમાં જણાવાયું છે.
રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકથી મોતના બનાવો વધતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ હાર્ટ એટેકથી મોતના ત્રણથી વધારે બનાવ સામે આવી રહ્યા છે, એવામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 30 અને 31 ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોમ્બરે સવાર 9.30 નાં રોજ અમદાવાદ એરપોર્ટ પહોચ્યા બાદ વડાપ્રધાન 10.20 કલાકે અંબાજી પહોંચશે. જ્યાં વડાપ્રધાન આરાસુરી માં અંબાના દર્શનાર્થે પહોંચશે. ત્યાર બાદ વડાપ્રધાન ખેરાલુ પહોંચશે. જ્યાં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે. જે બાદ તેઓ ગાંધીનગર પરત ફરશે. ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે તા. 31 નાં રોજ વડાપ્રધાન સવારે ગાંધીનગરથી કેવડીયા જવા રવાનાં થશે. કેવડીયા ખાતે વડાપ્રધાન એકતા પરેડમાં હાજરી આપશે. જ્યારે 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાનાં થશે. ત્યારે વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસને લઈ પોલીસ દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ એસ.ટી નિગમના કર્મચારીઓને બાકી રહેલા એરિયર્સ 3 હપ્તેથી ચૂકવાશે. જેમાં દિવાળી પહેલા એરિયર્સનો પ્રથમ હપ્તો ચૂકવાશે.
ઉત્તર પ્રદેશના બદાયુમાં સદર તહસીલના SDMએ રાજ્યપાલ આનંદીબેન પટેલના નામે સમન્સ જારી કરી હાજર થવાનો હુકમ કરતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ અંગેની કોપી વાયરલ થતા દેકારો બોલ્યા બાદ રાજ્યપાલ આનંદી બેન પટેલે પણ તેમના સચિવ મારફતે ડીએમને પત્ર પાઠવી જાણ કરી છે. જે કાયદેસર નિયમોનું ઉલ્લંઘન છે. જેથી નોટિસ ઈશ્યુ કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં જવાનાં નિર્ણય પર વિરોધનાં સ્વર સંભળાવા લાગ્યાં છે. મુસ્લિમ સમાજની સૌથી મોટી ધાર્મિક સંસ્થા જમીયત ઉલેમા-એ-હિંદનાં ચીફ મૌલાના મહમૂદ અસર મદનીએ આ નિર્ણયને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે,' મુલ્કનાં વજીર-એ-આઝમ ( દેશનાં PM)એ ન તો કોઈ મંદિર કે ન તો કોઈ ઈબાદતગાહનાં ઉદ્ધાટનમાં જવું જોઈએ...'
ઈઝરાયલ-હમાસ યુદ્ધની વચ્ચે અમેરિકાએ સીરિયા પર એક સ્ટ્રાઈક કરી દીધી છે. અમેરિકી સૈન્ય વિમાનોએ પૂર્વી સીરિયામાં ઈરાન સમર્થક આતંકવાદી ગ્રુપ પર હુમલો કર્યો છે. આ ગ્રુપે હાલમાં જ ઈરાક અને સીરિયામાં અમેરિકી સૈનિકો પર એક ડજનથી વધારે રોકેટ અને ડ્રોન હુમલા કર્યા હતા. એક રિપોર્ટ અુસાર તે હુમલામાં 20થી વધારે અમેરિકી સૈનિક ઘાયલ થયા હતા. સીરિયા પર આ એર સ્ટ્રાઈક તેજ હુમલાઓનો જવાબ છે.
કચ્છમાં પાટીદાર અગ્રણી વસંતભાઈ ખેતાણી પર હુમલો, ખેતાણી પર હુમલાની ઘટના CCTV કેમેરામાં થઈ કેદ#kutch #vasantkhetani #patidar pic.twitter.com/C5PyHzS2Sg
— ~ अभिमन्यु ~ ( VTV NEWS ) (@soulofnovemberr) October 27, 2023
કચ્છમાં પાટીદાર અગ્રણી વસંતભાઈ ખેતાણી પર નખત્રાણા પાસેનાં જડોદર ગામમાં આવેલ તેઓની ઓફીસ પર કેટલાક અજાણ્યા શખ્શોએ જીવલેણ હુમલો કર્યો હતો. ત્યાતે વસંતભાઈ ખેતાણી પર થયેલ હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.પાટીદાર અગ્રણી વસંતભાઈ ખેતાણી પર થયેલ હુમલાને લઈ અનેક તર્ક વીતર્ક સર્જાઈ રહ્યા છે. ત્યારે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહનાં દીકરા વિરૂદ્ધ વસંત ખેતાણીએ અનેક વાર રજૂઆત કરી છે. અર્જુનસિંહ પર આક્ષેપ કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પત્ર વાયરલ થયા બાદ વસંત ખેતાણી પર હુમલો થયો છે.
શેરબજારમાં શુક્રવારે જોરદાર તેજી જોવા મળી હતી. 6 દિવસ સતત લાલ નિશાનીએ બંધ થનાર માર્કેટમાં આજે ફરી ગ્રીન લાઈન જોવા મળી. BSE સેંસેક્સ 634 પોઈન્ટસનાં ઊછાળા સાથે 63782 પર પહોંચ્યું છે. નિફ્ટી પણ 202 અંકોનાં વધારા સાથે 19059 પર બંધ થયું છે. બજારની ચારેય તરફ આજે ખરીદી જોવા મળી છે. સરકારી બેંક, ઑટો, ફાઈનેંશિયલ, મીડિયા, IT અને રિયલ્ટી સેક્ટર્સ સૌથી આગળ છે. ગઈકાલે BSE સેંસેક્સ 901 અંક નીચે ગબળ્યું હતું.
વર્લ્ડ કપની 26મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને હરાવ્યું હતું. રોમાંચક મેચમાં આફ્રિકાએ પાકિસ્તાનને 1 વિકેટે હરાવ્યું છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાની ટીમ 46.4 ઓવરમાં 270 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 271 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે આફ્રિકાએ 47.2 ઓવરમાં 9 વિકેટે હાંસલ કરી લીધો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir