બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Kavan
Last Updated: 08:49 AM, 31 January 2022
ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા એકાદ એઠવાડિયાથી રાજ્યમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ ડાયમંડ નગરી સુરતમાં સ્થિતિ ચિંતાજનક છે.
છેલ્લા 18 દિવસમાં 62 દર્દીઓના મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મૃત્યુઆંક ચિંતા વધારનારો છે. છેલ્લા 18 દિવસની વાત કરવામાં આવે તો સુરતમાં કોરોનાથી 62 દર્દીઓના મૃત્યુ થયાં છે. મળતી વિગત પ્રમાણે, અઠવા ઝોનમાં 8, કતારગામ ઝોનમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ થયાં છે.જે ખરેખર ચિંતાનો વિષય છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવતી જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 9,395 કેસ કોરોના પોઝિટિવ આવતા 3જી લહેરનો અંત થોડા દિવસમાં થઇ જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 3582 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 398 કેસ તો રાજકોટ શહેરમાં 522 કેસ, વડોદરા શહેરમાં 1598 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 304 કેસ, ભાવનગર શહેરમાં 125 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 30 લોકોએ દમ તોડ્યો છે જ્યારે 16,066 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 91,320 સંખ્યા સુધી પહોંચી છે.
જિલ્લા પ્રમાણે કોરોના કેસ..
આજે અમદાવાદમાં સૌથી વધુ 3653 કેસ,વડોદરામાં 2011 કેસ, રાજકોટમાં 763 કેસ, સુરતમાં 642 કેસ, ભાવનગરમાં 148 કેસ, ગાંધીનગરમાં 475 કેસ, જામનગરમાં 55 કેસ, જૂનાગઢમાં 25 કેસ, પાટણમાં 276, મહેસાણામાં 200 કેસ, કચ્છમાં 153, ખેડામાં 125, સુરેન્દ્રનગરમાં 48, આણંદમાં 122, બનાસકાંઠામાં 99 કેસ, નવસારીમાં 88, વલસાડમાં 86 કેસ,સાબરકાંઠામાં 67, તાપીમાં 64 કેસ, ભરૂચમાં 46, અમરેલીમાં 34 કેસ, દ્વારકામાં 33, મોરબીમાં 33 કેસ, પંચમહાલમાં 22, સોમનાથમાં 21 કેસ, પોરબંદરમાં 20, ડાંગમાં 13 કેસ, છોટાઉદેપુરમાં 11 , નર્મદામાં 9 કેસ, દાહોદમાં 31, મહીસાગરમાં 6 કેસ, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 કેસ નોંધાયા છે.
ચાર મોટા શહેરોના 15 દિવસના કોરોના કેસ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ