બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / ગુજરાત / રાજકોટ / Gross negligence of Rajkot Municipality: Youth with bike dies after falling into pit without barricade
Priyakant
Last Updated: 01:16 PM, 27 January 2023
રાજકોટમાં આજે મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એક યુવકનું મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની વિગતો મુજબ આજે સવારના સમયે રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર ખાડાના કારણે બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. જોકે આ દુ:ખદ ઘટનામાં બાઇકસવાર યુવક બેરીકેટ વિનાના ખાડામાં પડતા સળિયો માથાની આરપાર નીકળી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે શુક્રવારે જ ગુજરાતમાં અલગ-અલગ અકસ્માતમાં 5 વ્યક્તિઓના કરુણ મોત થયા છે. આ સાથે 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. જેમાં રાજકોટની અકસ્માતની ઘટનાનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં આજે સવારે મનપાની બેદરકારીને કારણે એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર આજે દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ઠક્કર પરિવારનો એકનો એક દીકરો હર્ષ અશ્વિનભાઈ ઠકકર બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર મનપાના ખુલ્લા કોઈપણ બેરીકેટ નગરના ખાડામાં પડી ગયો હતો. જોકે અહી સાવચેતીના ભાગરૂપે કોઈ બેરીકેટ પણ ન હોઇ પીલ્લરના સળિયો ખુલ્લો હોઇ યુવકના માથાની આરપાર સળિયો ઘૂસી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
એકના એક પુત્રના મોતથી પરિવારમાં માતમ
આજે સવારે બનેલી દર્દનાક ઘટનામાં મૃત્યુ પામેલ ઠક્કર પરિવારના એકના એક દીકરા હર્ષ અશ્વિનભાઈ ઠકકરની અંધારી વિદાયથી પરિવાર શોકમગ્ન બન્યો છે. કોર્પોરેશનનાં ખાડામાં બાઈક સાથે પડતાં મોત થયું હોવાનું સામે આવતા હવે મનપાની બેદરકારી સામે પણ સવાલો ઊભા થાય છે. જો કદાચ આ ખાડા પાસે કોઈ બેરીકેટ હોત તો કદાચ આ યુવકનો જીવ ન ગયો હોત.
શું કહ્યું મૃતકના પિતાએ ?
સમગ્ર મામલે મૃતકના પિતાએ કહ્યું હતું કે, આજે સવારે જ્યારે મારો દીકરો જોબ પર જવા નીકળ્યો ત્યારે રસ્તામાં ટ્યુબ ફાટી હતી. જે બાદમાં હર્ષે મને ફોન કરીને કહ્યું હતું કે, મે ટ્યુબ નખાવી દીધી છે. જોકે ટ્યુબ નખાવ્યા બાદ પણ 15 મિનિટ સુધી ફોન ના આવતા મે ફોન કર્યો તો રિસીવ નહોતો કર્યો. જે બાદમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો ને કહ્યું કે, તમારા દીકરાનો અકસ્માત થયો છે. જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે 108 ત્યાં હતી પણ ડૉક્ટરોએ કહ્યું કે, જીવ નથી. જે બાદમાં મને પણ છાતીમાં દુખાવો થતાં હું પણ સિવિલમાં સારવાર માટે આવ્યો છું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir