બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Gross negligence of Rajkot Municipality: Youth with bike dies after falling into pit without barricade

અકસ્માત / રાજકોટ મનપાની ઘોર બેદરકારી: બાઇક સાથે યુવક ધડામ દઇને બેરીકેટ વિનાના ખાડામાં પડતા મોત, સળિયો માથાની આરપાર

Priyakant

Last Updated: 01:16 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર ખાડાના કારણે બાઇક સવારને અકસ્માત, માથામાં સળિયો ઘૂસી જતાં કરુણ મોત

  • રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે યુવકનું મૃત્યુ
  • રાજકોટના રોડમાં પડેલા ખાડાએ યુવકનો લીધો જીવ
  • 50 ફૂટ રિંગરોડ પર ખાડાના કારણે બાઈક સવારનો અકસ્માત
  • રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બની અકસ્માતની ઘટના
  • અકસ્માતમાં બાઈક સવાર હર્ષ ઠક્કર નામના યુવકનું ઘટના સ્થળે મૃત્યુ

રાજકોટમાં આજે મહાનગરપાલિકાની બેદરકારીને કારણે એક યુવકનું મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની વિગતો મુજબ આજે સવારના સમયે રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર ખાડાના કારણે બાઇક સવારને અકસ્માત નડ્યો હતો. જોકે આ દુ:ખદ ઘટનામાં બાઇકસવાર યુવક બેરીકેટ વિનાના ખાડામાં પડતા સળિયો માથાની આરપાર નીકળી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. 

રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે શુક્રવારે જ ગુજરાતમાં અલગ-અલગ અકસ્માતમાં 5 વ્યક્તિઓના કરુણ મોત થયા છે. આ સાથે 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. જેમાં રાજકોટની અકસ્માતની ઘટનાનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં આજે સવારે મનપાની બેદરકારીને કારણે એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે. 

અકસ્માત સ્થળની તસવીર 

શું હતી સમગ્ર ઘટના? 
રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે 50 ફૂટ રિંગરોડ પર આજે દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારના સમયે ઠક્કર પરિવારનો એકનો એક દીકરો  હર્ષ અશ્વિનભાઈ ઠકકર બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે  50 ફૂટ રિંગરોડ પર મનપાના ખુલ્લા કોઈપણ બેરીકેટ નગરના ખાડામાં પડી ગયો હતો. જોકે અહી સાવચેતીના ભાગરૂપે કોઈ બેરીકેટ પણ ન હોઇ પીલ્લરના સળિયો ખુલ્લો હોઇ યુવકના માથાની આરપાર સળિયો ઘૂસી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. 

મૃતક યુવક 

એકના એક પુત્રના મોતથી પરિવારમાં માતમ 
આજે સવારે બનેલી દર્દનાક ઘટનામાં મૃત્યુ પામેલ ઠક્કર પરિવારના એકના એક દીકરા હર્ષ અશ્વિનભાઈ ઠકકરની અંધારી વિદાયથી પરિવાર શોકમગ્ન બન્યો છે. કોર્પોરેશનનાં ખાડામાં બાઈક સાથે પડતાં મોત થયું હોવાનું સામે આવતા હવે મનપાની બેદરકારી સામે પણ સવાલો ઊભા થાય છે. જો કદાચ આ ખાડા પાસે કોઈ બેરીકેટ હોત તો કદાચ આ યુવકનો જીવ ન ગયો હોત. 

મૃતકના પિતા 

શું કહ્યું મૃતકના પિતાએ ? 
સમગ્ર મામલે મૃતકના પિતાએ કહ્યું હતું કે, આજે સવારે જ્યારે મારો દીકરો જોબ પર જવા નીકળ્યો ત્યારે રસ્તામાં ટ્યુબ ફાટી હતી. જે બાદમાં હર્ષે મને ફોન કરીને કહ્યું હતું કે, મે ટ્યુબ નખાવી દીધી છે. જોકે ટ્યુબ નખાવ્યા બાદ પણ 15 મિનિટ સુધી ફોન ના આવતા મે ફોન કર્યો તો રિસીવ નહોતો કર્યો. જે બાદમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો ને કહ્યું કે, તમારા દીકરાનો અકસ્માત થયો છે. જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે 108 ત્યાં હતી પણ ડૉક્ટરોએ કહ્યું કે, જીવ નથી. જે બાદમાં મને પણ છાતીમાં દુખાવો થતાં હું પણ સિવિલમાં સારવાર માટે આવ્યો છું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ