બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / Government may decide to provide additional support in horticultural crops over and above the support norms
Kishor
Last Updated: 04:07 PM, 26 June 2023
બિપોરજોયની અસરને પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થયું હતું.જેમાં સૌથી વધુ ખેતી પાકને નુકસાન થયું છે. વાવાઝોડાની અસરને લઈને તોફાની પવન ઉપરાંત ભારે વરસાદ ત્રાટકતા બાગાયતી પાકોનું ખેદાન મેદાન થયું હતું. ત્યારે હવે સરકાર બાગાયતી પાકોમાં સહાયના ધોરણ ઉપરાંત વધારાની સહાય અંગે નિર્ણય કરી શકે છે તેવા અણસાર વર્તાઈ રહ્યા છે.
કેબિનેટ બેઠકમાં બાગાયતી પાકોમા નુકશાન બાબતે થશે સમિક્ષા
કચ્છ સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બાગાયતી પાકમાં નુકસાની સંદર્ભે સર્વે પૂર્ણ કરવા સૂચના આપી દેવામાં આવી છે જેના ભાગરૂપે હાલ કૃષિ વિભાગની 342 થીમો દ્વારા સર્વેનો ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી કેબિનેટ બેઠકમાં બાગાયતી પાકોમાં થયેલ નુકસાની બાબતે સમીક્ષા કરવામાં આવશે. અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લઇ અને સહાયની જાહેરાત કરવામાં આવી શકે છે.
અગાઉ સરકારે કરી હતી જાહેરાત
બિપોરજોય વાવાઝોડાએ વ્યાપક વિનાશ વેર્યો હતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો વધુ પ્રભવિત થયાં હતા. જેને લઈને ચાર દિવસ આગાઉ જ અસરગ્રસ્ત લોકો માટે સરકારે સહાયની જાહેરાત કરી હતી. વાવાઝોડાને કારણે ઘરબાર છોડીને ગયેલા લોકોને સરકાર કપડાં તથા ઘરવખરીના સહાય પેટે સાત હજાર ચૂકવવા તથા અન્ય સહાયની રકમની જાહેરાત કરી હતી.આ સહાયમાં કપડા અને ઘરવખરી નુકસાન માટે સરકારે 7 હજાર રૂપિયા ચૂકવશે, તો સંપૂર્ણ નાશ થયેલા કાચા મકાનોમાં 1 લાખ 20 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આંશિક નુકસાન થયેલા પાકા મકાનોમાં 15 હજારની સહાય ચુકવશે. આંશિક નુકસાન થયેલા કાચા મકાનોમાં 10 હજારની સહાય, સંપૂર્ણ નાશ થયેલા ઝુંપડા માટે 10 હજારની સહાય, ઘર સાથેના શેડ નુકસાન માટે 5 હજારની અપાશે સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir