બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અમદાવાદ / Government failed to control lumpy Agriculture Minister dismissed this claim of Congress as false
Kishor
Last Updated: 05:26 PM, 22 September 2022
વિધાનસભા સત્રના અંતિમ દિવસ દરમિયાન આજે ગૃહમાં કોંગ્રેસે લમ્પી વાયરસ મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને સરકાર વિરુદ્ધ આકરા આક્ષેપો કર્યા હતા. સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામા આવ્યો હતો તો આ મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલે આ કોંગ્રેસના આરોપને પાયા વિહોણા ગણાવ્યા હતા.
3 લાખ પશુઓના મોત થયાનો કોંગ્રેસનો દાવો
લમ્પી વાયરસને લઇ કોંગ્રેસ આજે ગૃહમાં ચર્ચા કરવાની માંગ ઉઠાવી હતી. ધારાસભ્ય પુંજા વંશે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી છે. રાજ્યમાં કચ્છ અને જામનગરથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી. જે તે વેળાએ સરકારે તેની ગંભીરતાને ધ્યાને લઈને પૂરતી રસી ઉપલબ્ધ કરાવી હોત તો લમ્પી વાયરસ કંટ્રોલ થઇ શકે તેમ હતું . ગાયો તડફડીને મરી રહી છે અને 3 લાખ પશુઓના મોત થયાનો પણ કોંગ્રેસે દાવો કર્યો હતો. વધુમાં મે ટૂંકી મુદ્દતનો પ્રશ્ન દાખલ કર્યો હતો પરંતુ સંવેદનાપૂર્વક ચર્ચા કરવાના બદલે મારો પ્રશ્ન રદ કરાયો હોવાનું પણ કોંગી નેતા દ્વારા જણાવ્યું હતું.
હાલ 11 હજાર પશુઓ સારવાર હેઠળ: રાઘવજી પટેલ
તો બીજી તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલે કોંગ્રેસના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપી હતી. તમણે જણાવ્યું કે લમ્પી વાયરસનો ખતરો વધી રહ્યો હોવાની કોંગ્રેસની વાત ખોટી છે. હાલ 11 હજાર પશુઓ સારવાર હેઠળ છે અને સાડા ત્રણ ટકા જ પશુઓ લમ્પીના કારણે મૃત્યુ થયા છે. કુલ 1, 52, 600 થી વધુ અસરગ્રસ્ત પશુઑ અત્યાર સુધીમાં સજા થયા છે. વધુમાં 11, 200 જેટલા સારવાર હેઠળ હોવાનું અને 5959 જેટલા પશુઑના મોત થયા હોવાનો સત્તાવાર આંકડો છે. જ્યારે 3 લાખથી વધુ પશુઑના મોત અંગેનો કોંગ્રેસનો આક્ષેપ તદ્દન ખોટો હોવાનું રઘવજી પટેલે ઉમેર્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir