બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Good news for private school teachers, they will also get the benefit of gratuity; Supreme Court order
Hiralal
Last Updated: 04:34 PM, 1 September 2022
ખાનગી શાળાઓમાં ભણાવતા શિક્ષકો માટે મોટી ખુશખબર છે. શિક્ષકોને હવે ગેચ્યુટી મળતી થઈ જશે. સુપ્રીમ કોર્ટે 2009ના કાયદાને યોગ્ય ઠેરવ્યો છે, જે મુજબ ખાનગી શિક્ષકો પણ ગ્રેચ્યુઇટીના હકદાર છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ નિયમ 1997થી લાગુ થશે. એટલે કે ખાનગી શાળાઓ 1997 પછી નિવૃત્ત થયેલા તમામ શિક્ષકોને ગ્રેચ્યુટી ચૂકવશે.
વ્યાજ સાથે 6 અઠવાડિયામાં કરી આપવી પડશે ગ્રેચ્યુટી ચૂકવણી
ખાનગી શાળાઓએ આ ચુકવણી વ્યાજ સાથે 6 અઠવાડિયામાં કરવાની રહેશે. શિક્ષકોને ગ્રેચ્યુટી ચૂકવવા માટે પૈસા નથી તેવી પ્રાઈવેટ સ્કૂલોની અરજી પર ફગાવી દેતા સુપ્રીમની બૅન્ચે ગેચ્યુટીનો 2009નો કાયદો યથાવત જાળવી રાખ્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. આ સાથે કોર્ટે ખાનગી શાળાઓને પેમેન્ટ ઓફ ગ્રેજ્યુઈટી (એમેન્ડમેન્ટ) એક્ટ-2009 હેઠળ તમામ શિક્ષકોને વ્યાજ સાથે ગ્રેચ્યુઈટી ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
પ્રાઈવેટ સ્કૂલોની અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે
ખાનગી શાળાઓ વતી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેઓ શિક્ષકોને ગ્રેચ્યુઇટી ચૂકવવાની ક્ષમતા ધરાવતા નથી. આના પર ખંડપીઠે કહ્યું કે, આ શક્ય નથી. રાજ્યોમાં ફીને લઈને કાયદા છે, જેનું પાલન કરવું જરૂરી છે. પરંતુ આ નિયમોનું પાલન કરવાનો અર્થ એ નથી કે શિક્ષકોને ગ્રેચ્યુઇટીથી વંચિત રહેવું જોઈએ. આ શિક્ષકોનો અધિકાર છે.
1972થી લાગુ છે ગ્રેચ્યુટીનો કાયદો
ઉલ્લેખનીય છે કે ગ્રેચ્યુટી સાથે સંબંધિત કાયદો 1972 થી અમલમાં છે. આ કાયદા મુજબ જો કોઈ કર્મચારીએ 5 વર્ષ કે તેથી વધુ સમય સુધી કોઈ કંપની કે સંસ્થામાં કામ કર્યું હોય તો તેને રાજીનામું કે નિવૃત્તિ સમયે ગ્રેચ્યુઈટી આપવામાં આવશે. 1997માં શ્રમ મંત્રાલયે શૈક્ષણિક સંસ્થાઓને પોતાના દાયરામાં લાવવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ કાયદો તમામ ખાનગી શાળાઓને પણ લાગુ કરવામાં આવ્યો હતો. પરંતુ ખાનગી શાળાઓ તેની સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir