બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Ghulam Nabi Azad can return to Congress!
Malay
Last Updated: 08:17 PM, 30 December 2022
લગભગ ચાર મહિના પહેલા કોંગ્રેસને છોડી ચૂકેલા ગુલામ નબી આઝાદ કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. ANIના અહેવાલ મુજબ, ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ અંગે ગુલામ નબી આઝાદ ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે. જોકે, ગુલામ નબી આઝાદ ક્યારે ફરી કોંગ્રેસમાં જોડાશે, તે અંગે કોઈ પણ પ્રકારના સમાચાર સામે આવ્યા નથી. આ મામલે કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે જો આવું થશે તો તે ખૂબ જ આશ્ચર્યજનક હશે.
આઝાદના સમર્થનમાં ઘણા નેતાઓએ આપ્યા હતા રાજીનામા
હાલમાં આ સમગ્ર મામલે ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. જણાવી દઈએ કે, જ્યારે આઝાદે પાર્ટી છોડી હતી ત્યારે તેમણે પોતાના રાજીનામામાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતૃત્વ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. જણાવી દઈએ કે, કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે પોતાની રાજકીય પાર્ટી શરૂ કરી છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીમાં ભાગ લેવાની પણ વાત કરી છે. તેમને કેટલાક સ્થાનિક રાજકીય પક્ષોનું સમર્થન પણ છે. જ્યારે ગુલામ નબી આઝાદે પાર્ટી છોડી હતી, ત્યારે તેમના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરના ઘણા યુવાનો અને વરિષ્ઠ નેતાઓએ પણ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
આઝાદને ફરીથી પાર્ટીમાં લાવવાની તૈયારીઓ તેજ
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના વરિષ્ઠ નેતા અંબિકા સોનીને આઝાદને પરત લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સતત તેમના સંપર્કમાં છે. એટલું જ નહીં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ-કાશ્મીર પહોંચે તે પહેલા ગુલામ નબી આઝાદને ફરીથી પાર્ટીમાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આઝાદના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરમાં ઘણા કોંગ્રેસીઓએ રાજીનામું આપી દીધું હતું. જેના કારણે રાજ્યમાં પાર્ટીને ઘણું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રા 20 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર પહોંચશે. અહીં યાત્રા પહેલા લખનપુર જશે. આ કારણથી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઈચ્છે છે કે આઝાદ તે પહેલા પાર્ટીમાં પરત લાવવામાં આવે.
26 ઓગસ્ટે થયા હતા 'આઝાદ'
ગુલામ નબી આઝાદે 26 ઓગસ્ટે કોંગ્રેસ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું હતું. તેઓ છેલ્લા 52 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. આ વર્ષે જ રાજ્યસભામાં આઝાદનો કાર્યકાળ પણ પૂરો થયો હતો. આ પછી કોંગ્રેસે તેમને ફરીથી રાજ્યસભામાં નથી મોકલ્યા. આ પણ તેમની નારાજગીનું એક કારણ હતું. જોકે, જ્યારે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ તેમણે પોતાની રાજકીય પાર્ટી શરૂ કરીને સૌને ચોંકાવી દીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir