બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Gaurikund tragedy: 48 hours after landslide, 20 still missing
Priyakant
Last Updated: 11:45 AM, 7 August 2023
ઉત્તરાખંડના ગૌરીકુંડમાં શુક્રવારે મધ્યરાત્રિના ભૂસ્ખલન દરમિયાન ગુમ થયેલા 20 લોકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. વાત જાણે એમ છે કે, શુક્રવારે કેદારનાથ જતા સમયે ગૌરીકુંડમાં અચાનક પૂરના કારણે ભૂસ્ખલન થયું હતું. આ દરમિયાન ગુમ થયેલા 20 ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટીમો હજી પણ સખત મહેનત કરી રહી છે.
ગૌરીકુંડમાં ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ લગભગ 12 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. જેમાં વરસાદી ઝરણાની નજીક અને મંદાકિની નદીની લગભગ 50 મીટર ઉપર સ્થિત ત્રણ દુકાનો ધોવાઈ ગઈ. જે સમયે આ અકસ્માત થયો તે સમયે મંદાકિની નદીમાં ઉછાળો હતો. આ તરફ આ ઘટનામાં 20 જેટલા લોકો ગુમ થઈ ગયા છે.
ડ્રોનથી પણ મદદ લેવાઇ
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી (રુદ્રપ્રયાગ) નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ, ટ્રાવેલ મેનેજમેન્ટ ફોર્સ, પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ રવિવારે ધારી દેવીથી કુંડ બેરેજ સુધી ડ્રોનની મદદથી ગુમ થયેલા લોકોને શોધી કાઢ્યા હતા. પરંતુ ગુમ થયેલા લોકોનો પત્તો લાગ્યો ન હતો. તૂટક-તૂટક વરસાદ અને પહાડો પરથી પડી રહેલા પથ્થરોને કારણે રાહત અને બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે.
Uttarakhand Secretary Disaster Ranjit Sinha and Commissioner Garhwal Mandal Vinay Shankar Pandey along with DM and SP Rudraprayag reviewed the search and rescue operation of the missing persons due to a landslide near Kedarnath Dham Yatra Marg Gaurikund yesterday. pic.twitter.com/FdqI2qFRzD
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 6, 2023
હજુ પણ 20 લોકો લાપતા
સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેનો લગભગ છ કિલોમીટરનો વિસ્તાર ભૂસ્ખલન માટે અત્યંત સંવેદનશીલ છે. શુક્રવારે દુકાનોના કાટમાળમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા પરંતુ હજુ પણ 20 લોકો લાપતા છે. રાજવરે જણાવ્યું કે, જ્યાં દુકાનો હતી અને મંદાકિની નદીમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
મોટાભાગના પીડિતો નેપાળના
વિગતો મુજબ આ ઘટનામાં મોટાભાગના પીડિતો નેપાળના હતા. ઉખીમઠ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જિતેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે, ખરાબ હવામાન અને મંદાકિનીના જળસ્તરમાં વધારો થવાને કારણે બચાવ કાર્ય મુશ્કેલ બન્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સતત ખરાબ હવામાનને કારણે વધુ ભૂસ્ખલનનો ખતરો છે, અસ્થાયી કિઓસ્ક અને દુકાનોના માલિકો સ્વેચ્છાએ સુરક્ષિત સ્થળોએ જવા માટે સ્થળાંતર કરી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્રે સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચેના રસ્તાની બંને બાજુએ દુકાનો અને અન્ય બાંધકામોને ઓળખવાનું શરૂ કર્યું છે જે ભૂસ્ખલનનું જોખમ હોઈ શકે છે. શુક્રવારે મળી આવેલા ત્રણ મૃતદેહોની ઓળખ દેવી બહાદુર, ટેક બહાદુર અને પ્રકાશ તમટા તરીકે કરવામાં આવી છે જે બધા નેપાળના રહેવાસી છે.
ગુમ થયેલા લોકોના નામ જાહેર
આ તરફ હજુ પણ ગુમ થયેલા 20 વ્યક્તિઓમાં તિલવાડાના આશુ અને પ્રિયાંશુ ચમોલા, બસ્તીના રણબીર સિંહ, નેપાળના રહેવાસી અમર બોહરા, તેમની પત્ની અનિતા બોહરા, તેમની નાની પુત્રીઓ રાધિકા અને પિંકી અને પુત્રો પૃથ્વી, જતિલ અને વકીલનો સમાવેશ થાય છે. ભરતપુરના ખાનવા નિવાસી વિનોદ, સહારનપુરના નાગલા બંજારાના મુલાયમ, ઉત્સુયા ચોપરાના સુગરામ, બમ બોહરા, ચંદ્ર કામી, ધરમરાજ, નીર બહાદુર, તેમની પત્ની સુમિત્રા દેવી, તેમની પુત્રી કુમારી નિશા અને રોહિત બિષ્ટ પણ ગુમ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir