બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vaidehi
Last Updated: 07:53 PM, 25 May 2023
ગરમીના દિવસોમાં પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થવી ખૂબ સામાન્ય છે. જેમ જેમ શરીરનું તાપમાન વધે છે તેમ તેમ તમે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનો અનુભવ કરો છો. આ કારણે દરેક વ્યક્તિએ ખૂબ જ અસહજતાનો સામનો કરવો પડે છે. પેટમાં દુખાવો, બળતરા જેવી સમસ્યાઓ જોવા મળે છે. કેટલાક લોકો સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે. આવી સ્થિતિ ત્યારે ઉત્પન્ન થતી હોય છે, જ્યારે પેટની ગરમી વધી જાય છે. જ્યારે પેટમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે ત્યારે આવાં અનેક લક્ષણો જોવા મળે છે.
જાણો તેનાં લક્ષણો વિશે
પેટમાં ગેસ થવો
બળતરા થવી
બ્લોટિંગ
ઊલટી થવી કે ઊબકા આવવા
ભૂખ ઓછી લાગવી
પેટમાં દુખાવો થવો
પેટમાં જોરદાર ચૂંક આવવી
ઝાડા થઈ જવા
શા કારણે વધી જાય છે ગરમી?
પાણી ઓછું પીવું
વધુ પડતું નોનવેજ ખાવું
વધુ મસાલેદાર ભોજન ખાવું
તળેલું વધુ ખાવું
ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન
હાઈ પાવરની દવાઓનું સેવન
લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું
ચા-કોફી વધુ પીવાં
પેટની ગરમીના આ છે અક્સીર ઈલાજ
ઠંડી તાસીરવાળાં ફ્રૂટ્સ ખાઓ
ખૂબ પાણી પીઓ
સિઝનલ ફ્રૂટ્સ જ્યૂસ પીઓ
કેળાં, ખીરા, દહીંનું સેવન
મસાલેદાર ખોરાકથી બચો
વરિયાળીનું પાણી પીઓ
આ પીવાથી સમસ્યા દૂર થશે
એલોવીરા જ્યૂસ પણ પી શકો
નારિયેળ પાણીનું સેવન કરો
આંબળાનો રસ પેટની ગરમીને દૂર કરશે
ફુદીનાનો રસ પણ પેટની ગરમીને દૂર કરશે.
બદલાતા વાતાવરણમાં આ રીતે કરો અજમાનું સેવન
આમ તો હાલ ઉનાળાની ઋતુ ચાલે છે. તેથી સામાન્ય રીતે તો ગરમીનું વાતાવરણ હોય, પરંતુ બદલાતા વાતાવરણના કારણે હાલ વરસાદી વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. સતત બદલાતી આ ઋતુમાં શરદી, ઉધરસ, તાવ, વાઈરલ ઈન્ફેક્શનના કેસ પણ વધી રહ્યા છે. આ વાતાવરણમાં જો આમાંથી કોઈ સમસ્યા થાય તો વ્યક્તિને સ્વસ્થ થવામાં અઠવાડિયાનો સમય લાગી જાય છે. બદલાતા વાતાવરણમાં સાવચેત રહેવું પણ જરૂરી છે. અજમાનો ઉપયોગ તમે રસોઈમાં કરી શકો છો. આ ઉપરાંત અજમાની ચા બનાવીને પણ પી શકાય છે. અજમાની ચા પીવાથી શરદી, તાવ જેવી સમસ્યામાં તુરંત રાહત મળે છે. અજમાની ચા બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમાે મિક્સ કરી તેને બરાબર ઉકાળો, પછી તેને ગાળીને પી લો. તમે તેમાં મધ અને લીંબુ પણ ઉમેરી શકો છો. તેનાથી શરીરમાં ગરમી આવે છે. આ ઉપરાંત અજમાનો ઉપયોગ કરવાથી પેટના દુખાવા, કબજિયાત જેવી તકલીફમાં પણ રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir