બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Manisha Jogi
Last Updated: 08:25 AM, 19 September 2023
આજે ગણેશ ચતુર્થી છે. ઘરમાં ભગવાન ગણેશની સ્થાપના કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. 10 દિવસ સુધી ભગવાન ગણેશની ધામધૂમથી પૂજા કરવામાં આવે છે, 10 દિવસ પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે, ત્યારે ભગવાન ગણેશ બધી નકારાત્મકતા સાથે લઈને જાય છે. ભગવાન ગણેશે શીખવેલ બાબતો અનુસાર જીવન જીવવાથી તમામ વિધ્ન દૂર થાય છે. આવો ગણેશ ચતુર્થીના પર્વ પર જાણીએ ભગવાન ગણેશના પરિવાર, સંબંધો, ભોજન, શસ્ત્રો, વાહન વિશે. જેનું અનુસરણ કરવાથી તમામ સમસ્યા આપમેળે દૂર થઈ જશે.
પરિવાર સાથે હોય તો તમામ દુ:ખ દૂર થાય છે
સર્વ દેવતાઓમાં ભગવાન ગણેશજીનું કુટુંબ સામુહિક છે. માતા-પિતા શિવ-પાર્વતી, ભાઈ કાર્તિકેય, પત્નીઓ રિદ્ધિ-સિદ્ધિ અને બે પુત્રો યોગ-ક્ષેમ. જે પરિવારમાં એકતા હોય ત્યાં ભગવાન ગણેશનો વાસ રહે છે. કોઈ મતભેદ કે પણ મનભેદ થતો નથી. જો પરિવાર સાથે હોય તો વ્યક્તિ તેને મોટી સમસ્યાઓનો સામનો કરી શકે છે.
કમાણીમાંથી બચત પણ જરૂરી
ભગવાન ગણપતિને બે પુત્રો છે યોગ (લાભ) અને ક્ષેમ (શુભ). જે જીવન માટે ખૂબ જ જરૂરી છે. ભગવાન ગણેશના બંને પુત્રો બોધ આપે છે કે, કમાણીમાંથી અમુક ભાગ બચાવવો જોઈએ. યોગ (નફો) કમાણીના દેવ છે અને ક્ષેમ (શુભ) બચતના દેવ છે. મહેનતથી અને પ્રામાણિકપણે કમાણી કરો અને તેમાંથી બચત કરો.
સફળતા અને સમૃદ્ધિ એકબીજાના પૂરક
ભગવાન ગણેશને બે પત્નીઓ છે, રિદ્ધિ (સમૃદ્ધિ) અને સિદ્ધિ (સફળતા). જો તમારી સફળતા મહેનત અને પ્રામાણિકતા પર આધારિત છે, તો નિશ્ચિતપણે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જે એકબીજાના પૂરક છે. અલગ રહી શકતા નથી. જો તમે સફળતા મેળવવાનો પ્રયાસ કરો છો તો તેની સાથે સમૃદ્ધિ પણ આવે છે
સંતોષ જરૂરી છે, વધુ ઈચ્છાઓ ના રાખવી
માતા સંતોષી ભગવાન ગણપતિનાં પુત્રી છે. જો પરિવારમાં સુખ-શાંતિ હોય તો પરિવારના સભ્યોમાં સંતોષની લાગણી હોવી જરૂરી છે. વધુપડતી ઇચ્છાઓને કારણે પરિવારમાં વિખવાદ ઊભો થાય છે. પરિવારમાં એક પણ વ્યક્તિ સંતુષ્ટ ના હોય તો વિવાદ થાય. જ્યાં વિવાદ હોય ત્યાં ભગવાન ગણેશનો વાસ થતો નથી. સંતુષ્ટિ ના હોય તો ક્યારેય સુખ અને શાંતિ પ્રાપ્ત થતા નથી.
અંકુશ જરૂરી છે
ભગવાન ગણેશનું શસ્ત્ર અંકુશ છે. આ જ અંકુશથી મહાવત હાથીને નિયંત્રિત કરે છે. અંકુશનો અર્થ અટકાવવું-નિયંત્રિત કરવું છે. જો મનુષ્યનું મન, ઈચ્છાઓ અને પરિવાર અનિયંત્રિત હશે તો વિવાદ થશે અને અશાંતિ વધશે. વિવાદો હોય ત્યાં ભગવાન ગણેશનો વાસ થતો નથી. સૌથી પહેલા મન પર અંકુશ હોવો જરૂરી છે, જેથી બધું જ નિયંત્રણમાં રહેશે.
કોતરવું ના જોઈએ
ગણેશજી ઉંદર પર સવારી કરે છે. જેમ ઉંદર સારાં કપડાં કોતરીને ખરાબ કરે છે, તેવી જ રીતે કુતર્ક સારા વિચારો અને શબ્દોને બગાડી મુકે છે. સારી બાબતોમાં તર્ક-વિતર્ક કરવો જરૂરી છે, પરંતુ કુતર્કથી હંમેશા નુકસાન થાય છે. જ્યાં બુદ્ધિથી તર્ક-વિતર્ક થતા હોય છે, ત્યાં જ ભગવાન ગણેશનો વાસ રહે છે.
મોદક અને દુર્વા જરૂરી
ગણપતિના બે પ્રિય ખોરાક મોદક અને દુર્વા છે. મોદક મિઠાશ અને દુર્વા કડવો સ્વાદ ધરાવે છે. જે સ્વસ્થ આરોગ્યનો સંકેત આપે છે. મોદકમાં ઘી હોવાથી શરીરને શક્તિ આપે છે અને દુર્વા તેને પચાવવાની શક્તિ આપે છે. આયુર્વેદમાં દુર્વાને સ્વસ્થ પેટ માટે ગુણકારી માનવામાં આવે છે.
વિચારોમાં સંવેદનશીલતા જરૂરી
ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા છે. ભગવાન શિવે ગણપતિજીનું મસ્તક કાપીને હાથીનું માથું જોડ્યું ત્યારે દેવતાઓ તરફથી બુદ્ધિના દેવતા હોવાનું વરદાન આપવામાં આવ્યું હતું. હૃદયથી લીધેલ નિર્ણયો દૂરંદેશી હોતા નથી. આ કારણોસર વિચારોમાં સંવેદનશીલતા અને નિર્ણયોમાં કઠોરતા જરૂરી છે.
સુંદરતા વિચારોમાં છે
ભગવાન શિવે હાથીનું માથું બાળ ગણેશના ધડ સાથે જોડી દીધું હતું. ત્યારપથી ગણેશજીએ જીવિત થઈને સૌ પ્રથમ ભગવાન શિવને પ્રણામ કરીને પોતાની જીદ માટે માફી માંગી. હાથીના મસ્તકવાળા બાળકનું આટલું સારું વર્તન જોઈને તમામ દેવતાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. જેથી સુંદરતા ચહેરામાં નહીં, પરંતુ વિચારો અને વર્તનમાં છે.
ફરજ પૂર્ણ કરવી જરૂરી
ભગવાન પરશુરામ તેમના ગુરુ ભગવાન શિવના દર્શન માટે કૈલાશ ગયા. ભગવાન શિવ તપસ્યામાં હતા, જેથી ભગવાન ગણેશે પરશુરામજીને રોક્યા, બંને વચ્ચે વિવાદ થયો. પરશુરામે ભગવાન ગણેશ પર પ્રહાર કરતા એક દાંત તૂટી ગયો. તેમ છતાં ગણેશજીએ પરશુરામજીને જવા દીધા ન હતા. મનુષ્ય શક્તિશાળીના પ્રભાવને કારણે ફરજો સાથે સમાધાન કરે છે. ક્યારેય ફરજો અને જવાબદારીઓથી દૂર ન થવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir