બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / ભારત / Gandhiji would have been killed 10 days earlier Know how the conspiracy to kill Bapu was formed
Megha
Last Updated: 09:37 AM, 30 January 2024
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે. આજથી 76 વર્ષ પહેલા 30 જાન્યુઆરી 1948માં નવી દિલ્લી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસેએ એક પછી એક ત્રણ ગોળી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી. ગોળી વાગતા જ બાપુ ઢળી પડયા હતા અને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.
જે સમયે મહાત્મા ગાંધી દિલ્હીમાં ઉપવાસ દ્વારા દેશમાં ભાઈચારો વધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે જ સમયે પુણેમાં એક ખતરનાક ષડયંત્ર આકાર લેવા લાગ્યું હતું. નારાયણ આપ્ટે અને દિગંબર બેજ 17 નવેમ્બરના રોજ પૂનામાં મળ્યા. આપ્ટેએ બેજને હથિયારોની વ્યવસ્થા કરવા કહ્યું હતું. એ બાદ 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી પરંતુ તેનું ષડયંત્ર આઝાદીના થોડા મહિના પછી જ શરૂ થઈ ગયું હતું. ગાંધીજીની હત્યાની તારીખ 20મી જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી. પરંતુ તે દિવસે હત્યારાઓ નિષ્ફળ ગયા હતા.
મહાત્મા ગાંધી પર પ્રથમ હત્યાનો પ્રયાસ 20 જાન્યુઆરી 1948ના રોજ થયો હતો, એટલે કે તેમના મૃત્યુના 10 દિવસ પહેલા. જો કે, તેઓ આ હુમલામાં બચી ગયા હતા. તેમના અંતિમ દિવસોમાં, ગાંધીજીએ તેમના મૃત્યુની આગાહી કરી હતી જાણે કે તેઓ જાણતા હોય કે 30 જાન્યુઆરી અથવા તે પહેલાં તેમની સાથે આવું કંઈક થવાનું છે. તેમણે ઘણા અખબારો, જાહેર સભાઓ અને પ્રાર્થના સભાઓ દ્વારા ઓછામાં ઓછા 14 વખત આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. 21 જાન્યુઆરીએ ગાંધીજીએ કહ્યું હતું કે જો કોઈ મારા પર ખૂબ જ નજીકથી ગોળીબાર કરે અને હું સ્મિત સાથે તે ગોળીઓનો સામનો કરું અને મારા હૃદયમાં રામનું નામ લે તો હું અભિનંદનને પાત્ર છું.
20 જાન્યુઆરી 1948ના રોજ શું થયું હતું?
નારાયણ આપ્ટે, વિષ્ણુ કરકરે, દિગંબર બેજ અને શંકર કિસ્તૈયા વહેલી સવારે બિરલા હાઉસ પહોંચ્યા. ચારેયે બિરલા હાઉસની રેકી કરી અને થોડીવાર પછી બહાર આવ્યા હતા. નારાયણ આપ્ટેએ તેમને પ્રાર્થના સ્થળ બતાવ્યું જ્યાં ગાંધીજી પ્રાર્થના કરતા હતા. આ સિવાય ગાંધીજી જ્યાં બેસતા હતા તે જગ્યા પણ બારીમાંથી બતાવવામાં આવી હતી. પછી બધા બહાર આવ્યા. નારાયણ આપ્ટેએ બિરલા હાઉસના બીજા ગેટ તરફ ઈશારો કરીને કહ્યું કે ભીડનું ધ્યાન હટાવવા માટે અહીં ગન કોટન સ્લેબ વડે બ્લાસ્ટ કરવામાં આવશે. થોડા સમય પછી ચારેય હિંદુઓ મહાસભા ભવન ગયા.
તમામ આયોજન બાદ શસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નથુરામ ગોડસે અને કરકરે પાસે હેન્ડ ગ્રેનેડ હતા જ્યારે કિસ્તૈયા પાસે રિવોલ્વર હતી. 20 જાન્યુઆરીએ હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે સફળ નહતા થયા. 20 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં પ્રાર્થના સભામાં બાપુના ભાષણ દરમિયાન તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન વિસ્ફોટ પણ કરવામાં આવ્યો હતો. હુમલાખોરોનો મૂળ પ્લાન પણ ભીડમાં ગ્રેનેડ ફેંકવાનો હતો.
બ્લાસ્ટ બાદ કેટલાક લોકો તે જગ્યાએ પહોંચ્યા જ્યાં બ્લાસ્ટ થયો હતો. મદનલાલ પાહવા ત્યાંથી થોડે દૂર ઊભા હતા અને એક વ્યક્તિએ કહ્યું કે તેણે જ બોમ્બ પ્લાન્ટ કર્યો હતો અને એ બાદ મદનલાલ પકડાઈ ગયો હતો અને દિગંબર બેજ અને શંકર કિસ્તૈયા બિરલા હાઉસમાંથી ભાગી ગયા હતા.
વધુ વાંચો: બાપુની સરદાર પટેલ સાથેની એ વાત જે કાયમ માટે અધૂરી રહી ગઇ, જાણો કેમ બોલાવ્યા હતા
આ સાથે જ ગાંધીજીની હત્યા સાથે મધ્યપ્રદેશના ગ્વાલિયરનો ઊંડો સંબંધ છે. આરોપી નાથુરામ ગોડસેને ગ્વાલિયરથી આ કેસમાં સંપૂર્ણ મદદ મળતી રહી. શસ્ત્રો, તેનું રિહર્સલ, મહાત્મા ગાંધીની હત્યાનું કાવતરું, બધું જ ગ્વાલિયરથી થયું. આ કામમાં હિન્દુ મહાસભાના નેતાઓએ ગોડસેને ઘણી મદદ કરી. હિન્દુ મહાસભાનો દાવો છે કે જે પિસ્તોલથી ગોડસેની હત્યા કરવામાં આવી હતી તે સિંધિયા વંશના આર્મી ઓફિસરની હતી. હિન્દુ મહાસભા આખા દેશમાં ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે ગ્વાલિયરમાં ગોડસેનું મંદિર બનાવ્યું એટલું જ નહીં, સવાર-સાંજ તેમની આરતી પણ કરી. જો કે કોંગ્રેસની સરકાર વખતે આ મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips