જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરરોજ કઈકને કઈક ખાસ હોય છે. હિન્દુ પંચાગ મુજબ 15 ઓગષ્ટે મીન રાશિમાં ગજકેસરી યોગનુ નિર્માણ થઇ રહ્યું છે. આવો જાણીએ આ કેવીરીતે મીન રાશિના જાતકો માટે ફાયદાકારક છે.
15 ઓગષ્ટે મીન રાશિમાં ગજકેસરી યોગનુ થઇ રહ્યું છે નિર્માણ
જાણો જ્યોતિષ શાસ્ત્રમાં ગજકેસરી યોગનુ મહત્વ
મીન રાશિના જાતકોને વિશેષ ફળ પ્રાપ્ત થશે
જ્યોતિષમાં ગજકેસરી યોગને મનાય છે શુભ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગજકેસરી યોગને ખૂબ શુભ માનવામાં આવ્યો છે. આ સાથે આ દિવસે ભાદ્રપદ મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થી તિથી પણ છે. દર મહિનાની ચોથની તિથી ગણેશજીને સમર્પિત હોય છે. આ વખતે સંકષ્ટી ચતુર્થી 15 ઓગષ્ટે આવી રહી છે અને આ સાથે મીન રાશિમાં અતિશુભ યોગનુ નિર્માણ થઇ રહ્યું છે. ધાર્મિક દ્રષ્ટિએ 15 ઓગષ્ટનો દિવસ ખૂબ ખાસ છે. પંચાગમાં જાણીએ આ દિવસે શું ખાસ છે અને ગજકેસરી યોગના મહત્વ અને ફાયદા અંગે.
આ રાશિના જાતકો માટે લાભદાયી
જ્યોતિષો મુજબ 15 ઓગષ્ટ સોમવારનો દિવસ મીન રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેવાનો છે. આ દિવસે મીન રાશિમાં ગજકેસરી યોગ પણ બન્યો છે. આ દરમ્યાન મીન રાશિના જાતકોને વિશેષ ફળની પ્રાપ્ત થવાની પૂરેપૂરી શક્યતા છે. મહત્વનું છે કે આ દરમ્યાન મીન રાશિમાં દેવગુરૂ બૃહસ્પતિ ગ્રહ બિરાજમાન છે. સોમવાર 15 ઓગષ્ટના દિવસે ચંદ્ર ગોચરથી આ રાશિમાં ગજકેસરીનો યોગ બની રહ્યો છે. દેવગુરૂ બૃહસ્પતિ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગનુ નિર્માણ થાય છે. જ્યોતિષમાં તેને શુભ માનવામાં આવે છે.
ગજકેસરી યોગનુ મહત્વ
ધાર્મિક ગ્રંથોમાં કેટલાંક અતિશુભ યોગનુ વર્ણન મળે છે, જેમાંથી એક ગજકેસરી યોગનો પણ સમાવેશ થાય છે. ગજનો અર્થ છે હાથી અને કેસરીનો અર્થ છે સોનુ. એટલેકે ગજનો અર્થ શક્તિ સાથે છે અને સોનાનો અર્થ સમૃદ્ધી સાથે જણાવવામાં આવ્યો છે. જ્યારે કુંડળીમાં આ યોગનુ નિર્માણ થાય છે તો શક્તિ અને સમૃદ્ધીમાં વધારો થાય છે.