બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 09:31 PM, 13 April 2023
મંદી, મોંઘવારીના યુગમાં અનેક ખાનગી કર્મચારીઓની નોકરી છૂટી ગઈ છે. મોટી મોટી કંપનીઓએ પોતાના સંખ્યાબંધ કર્મચારીઓને ઘરભેગા કરી દીધા છે. આવી સ્થિતિ વચ્ચે અમદાવાદના સાણંદમાં પ્લોટ ધરાવતી ફોર્ડ કંપનીએ પોતાના 355 કામદારોને છુટા કરવાનો નિર્ણય કરતા કર્મચારીઓમા રોષ ભભૂકયો છે. નોકરી નહિ રોટલો છીનવાઈ જતા કર્મચારીઓને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ શ્રમ કાયદાનો ભંગ કરી શ્રમિકોને છૂટા કર્યા હોવાનો કર્મચારીઓ આરોપ લગાવી રહ્યા છે.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આવ્યા શ્રમિકોના મદદે
આ મામલે દેકારો બોલી જતા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તાબડતોબ શ્રમભવન ખાતે દોડી ગયા હતા. જ્યા કામદારોની હાજરીમાં ડેપ્યુટી કમિશનર ઓફ લેબરને રજૂઆત કરી હતી. ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું કે શ્રમ કાનૂનોનું સદંતર ઉલ્લંઘન કરી કર્મચારીઓને ઘરભેગા કરવામા આવ્યા હતા. તેમણે 355 કામદારોનું સમાધાન કરી નિરાકરણ લાવવા માંગ ઉઠાવી છે. જેમાં આગામી સમયમાં નિરાકરણ નહિ આવેતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
355 શ્રમિકોનુ સમાધાન કરી નિરાકરણ લાવવાની કરી માગ
જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં 300 થી વધુ લોકોએ કામની માંગ સાથે લેબર ઓફિસના દરવાજે બેસવું પડે તે રાજ્યની સૌથી મોટી દુર્દશા ગણી શકાય છે. કર્મચારીઓએ વર્ષો સુધી પરશેવો પાડી અને અનેક કારનું ઉત્પાદન કર્યું છે. અને હજુ પણ કર્મચારીઓ કામ કરવા તૈયાર હોવા છતાં કંપનીએ નીતિ નિયમ નેવે મૂકી અને કર્મચારીઓને છૂટા કરી નાખ્યા છે. ત્યારે રાજ્ય સરકારના મંત્રી અને સંબંધિત વિભાગના અધિકારીઓ તથા કંપનીના કર્મચારીઓ તથા આગેવાનો સાથે મળી અને આ સમસ્યાનો નિવેડો લાવે તેવી અંતમાં માંગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir