બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Food poisoning of 200 persons in Dungar village of Rajula
Dinesh
Last Updated: 10:00 PM, 7 May 2023
અમરેલીના રાજૂલામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. ડુંગર ગામે 200થી વધુ વ્યક્તિઓને ઝેરી ભોજનની અસર થઈ છે, 30 વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગના જમણવારમાં જમ્યા પછી આ તમામ વ્યક્તિઓેને ઝાડા-ઉલટીઓ થતા અસરગ્રસ્તોને રાજુલા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અમરેલી- રાજુલાના ડુંગર ગામમાં લગ્નપ્રસંગના જમણવારમાં થયું ફૂડ પોઈઝનિંગ 200થી વધુ લોકોને અસર, 30 હોસ્પિટલમાં દાખલ .#Rajula #Amreli #foodpoisoning #vtvgujarati pic.twitter.com/H27cIKHpA3
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 7, 2023
નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો જમ્યા હતા
પાપ્ત વિગતો મુજબ લગ્ન પ્રસંગના જમણવારમાં નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવો બનાવવામાં આવ્યો હતો. જે ભોજન 2500થી વધુ લોકોએ લીધું હતું. જેમાંથી 200 જેટલા લોકોને આ ભોજનની અસર થઈ હતી. ફૂડ પોઈઝનિંગની અસર થતા અલગ-અલગ સ્થળે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ડૂગર ગામે મુસ્લિમ પરિવાર રફીક ઝાખરાના ઘરે લગ્ન પ્રસંગ હતો ત્યાં આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી
15થી વધુ બાળકોને અસર
આ ફૂડ પોઈઝનિંગ નોનવેઝ બિરયાની અને દૂધીનો હલવામાંથી થઈ હોવાની શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ 2500થી 3000 જેટલા લોકોને ભોજન જમ્યુ હતું. જેમાંથી હાલ 200 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જે 200માં 15થી વધુ બાળકો પણ છે. જો કે, આ સમગ્ર મામલે હાલ તો આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.
ડોક્ટરોને હાજર રહેવા સૂચના
રાજુલા, સાવરકુંડલા, મહુવા અસપાસની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તેમજ આજુબાજુની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોને હાજર રહેવા આરોગ્ય વિભાગે સૂચના આપી છે. અત્રે તમને જણાવી દઈએ કે, અસરગ્રસ્તોનો આંકડો હજુ પણ વધી શકે છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir