બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / five secrets of corona virus treatment impossible without answer
Bhushita
Last Updated: 10:36 AM, 9 July 2020
કોરોના વાયરસને આવ્યાને 6 મહિનાથી વધારે સમય થયો છે. પરંતુ કોરોનાને લઈને કેટલાક એવા રહસ્યો છે જેને વિશે કોઈ જાણકારી નથી. સાયન્સ જર્નલ નેચરે દુનિયાના વૈજ્ઞાનિકોની એક રિપોર્ટ રજૂ કરી છે તેમાં મહામારીના 5 રહસ્યોનો ઉલ્લેખ કરાયો છે જેના વિશે કોઈ જાણકારી નથી. તેમના જણાવ્યા અનુસાર જ્યાં સુધી આ બાબતોનો ઉપાય નહીં મળે ત્યાં સુધી કોરોનાની સારવાર શક્ય નથી.
કોરોના ક્યાંથી આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી
કોરોના ક્યાંથી આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. આ અત્યારસુધીનું એટલે કે 6 મહિનાથી કોરોના આવ્યા પછીનું સૌથી મોટું રહસ્ય છે. હજુ સુધી જાણી શકાયું નથી કે કોરોના ક્યાંથી આવ્યો, ક્યારે આવ્યો અને કેવી રીતે જન્મ્યો છે. શરૂઆતના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે તે ચામાચિડીયાથી માણસોમાં ફેલાયો હતો. ત્યાર પછી આરએટીજી 13ને જવાબદાર ગણાવાયો જે ચામાચિડીયામાં જોવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે તેઓ તેને યોગ્ય માનતા નથી, તેમનો દાવો છે કે જો એવું હોત તો માણસો અને ચામાચિડીયાના જીનોમમાં 4 ટકાનું અંતર ન હોત. જે આ વાયરસને માટે જવાબર છે.
પ્રભાવિત લોકો પર કોરોના વાયરસનો પ્રભાવ અલગ અલગ
અત્યાર સુધીમાં જેટલા પણ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે તેમનામાં જોવા મળ્યું છે કે સમાન ઉંમર અને સમાન ક્ષમતા પછી પણ દરેક વ્યક્તિ પર આ વાયરસનો પ્રભાવ અલગ અલગ જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકો હજુ સુધી સમજી શક્યા નથી કે કોરોના વાયરસની વિરુદ્ધમાં અલગ અલગ શરીરની પ્રતિક્રિયા એકમેકથી અલગ શા માટે છે. કોરોના સંક્રમણથી વધુ પ્રભાવિત ઈટલી અને સ્પેન છે. અહીં 4000 લોકો પર થયેલા સશોધનમાં વૈજ્ઞાનિકો તરફથી કહેવાયું છે કે તેમાં એક કે બે અલગ જીન હોઈ શકે છે.
રોગ પ્રતિકારક શક્તિ કેટલા સમય સુધી રહેશે
વૈજ્ઞાનિકો હજુ સુધી એ પણ સમજી શક્યા નથી કે કોરોના સંક્રમિત થયા બાદ પણ દર્દીના શરીરમાં કોરોના વાયરસની વિરુદ્ધ રોગ પ્રતિરોધક ક્ષમતા ક્યાં સુધી રહેશે. વાયરસથી પ્રભાવિત અન્ય બીમારીઓમાં આ ક્ષમતા થોડા મહિનાઓ સુધી શરીરમાં રહે છે. આ માટે શોધની મદદથી વૈજ્ઞાનિકો જાણવાની કોશિશ કરી રહ્યા છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ દર્દીમાં બનતા એન્ટીબોડીઝ કેટલા સમય સુધી શરીરને સ્ટેબલ રાખી શકે છે.
દુનિયાના અનેક દેશોમાં આ વાયરસે પોતાનું ખતરનાક રૂપ દેખાડ્યું છે અને લાખો લોકોના જીવ લીધા છે. જ્યારે કેટલાક દેશોમાં તેનો પ્રભાવ ઓછો છે. આ કારણ છે કે વૈજ્ઞાનિકો આ વાયરસની કાર્યપ્રણાલીને સમજવાની કોશિશ કરી રહ્યા છે. ક્ષેત્રના આધારે વાયરસમાં બદલાવને પણ સમજવાની કોશિશ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ