બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / સુરત / Farmers trouble while harvesting mangoes in Surat Tension spread of this disease in the fruit
Kishor
Last Updated: 09:15 PM, 28 December 2022
વલસાડ અને નવસારી જિલ્લામાં કેરીનું મોટા પાયે ઉત્પાદ થાય છે પરંતુ હવે સુરત જિલ્લામાં ઘણા ખેડૂતો કેરીનું ઉત્પાદન કરે છે. તેવામાં ચાલુ વર્ષે કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં વધારો થયો છે. બદલાતા વાતાવરણને કારણે આંબામાં મધિયા નામનો રોગ આવતા ખેડૂતોએ મોંઘી દાટ દવાનો ખર્ચો વધ્યો છે. જેથી આ વર્ષ ખોટમાં જશે તેવા ભણકારા વાગી રહ્યા છે. મધિયા રોગને કારણે આંબા પર આવી ગયેલી મંજરી અને ફ્લાવરીંગને મધિયો એટલે કે મધ જેવું મીઠું ચીકણું પ્રવાહી પડે તો એને કારણે આવેલા ફ્લાવરિંગ કાળું પડી જાય એટલે રાખમાં પરિવર્તિત થતું હોવાથી કેરીના પાકને નુકશાન કરે છે.
કેરીના પાકમાં ખોટ જવાની ભીતિ
આ અંગે માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામના ખેડુત ઇદ્રિશભાઈ મલેકને ખેતરમાં 1200 જેટલા આંબા છે. છેલ્લા કેટલાક દિવસથી તેમના આંબાઓના પાન કાળા પાડી રહ્યા છે. અને આંબાનો મોર ખરી રહ્યો છે. ખેડૂતે આ બાબતે માહિતી મેળવતા આ રોગનું નામ મધીયો હોવાનું જાણવા મળ્યું હતું. આ રોગનો નાશ કરવા ખેડૂતે અત્યાર સુધીમાં ૩૫ હજાર રૂપિયા દવા પાછલ ખર્ચ્યા છે. ખેડુતને આ વર્ષે કેરીના પાકમાં ખોટ જશે તેવું લાગી રહ્યું છે.
રોગે વધારી ખેડૂતોની ચિંતા
તો બીજી તરફ આ વર્ષ બરોબર ઠંડી નહિ પડતા ખેડૂતોને કેરીનો પાક મોડે જશે અને ખેડૂતોને સીઝનમાં ભાવ નહિ મળે તેવું લાગી રહ્યું છે. હાલ તો ખેડૂતો કેરીના પાકને બચાવવા મોંઘીદાટ દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે બદલાયેલા વાતવરણ ને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સુરત ગ્રામ્યમાં વાતાવરણમાં પલટાના કારણે શાકભાજી અને બગાયતી પાકોને ભારે નુકશાન થવા પામ્યું છે. માંગરોળના ખેડૂતોએ આંબાની કલમો લગાવી હતી અને હવે આંબા પર મોર આવ્યો ત્યારે વાતાવરણમાં સતત બદલાવ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir