બ્રેકિંગ ન્યુઝ
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ
VTV / farmers protest rakesh tikait raises questions against govt over income of farmers
Parth
Last Updated: 01:54 PM, 21 December 2020
ખેડૂતો અડગ
કૃષિ કાયદાઓને લઈને હાલમાં સકરાર અને ખેડૂતો વચ્ચે કોઈ વાતચીત થઇ રહી નથી ત્યારે 26 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો આજથી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતોએ સાફ કરી દીધું છે કે કાયદા રદ ન થાય ત્યાં સુધી કોઈ વાતચીત કરવામાં આવશે નહીં અને સરકાર કહી રહી છે કે તમારા દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે પણ કાયદા પાછા નહીં લેવાય.
સરકારના દાવાની ખોલી પોલ
જ્યાં એક તરફ સરકાર વિવિધ દાવાઓ કરી રહી છે અને કહી રહી છે કે મોદી સરકારના કાળમાં ખેડૂતો માટે મોટા મોટા કામ કરવામાં આવ્યા છે ત્યાં બીજી તરફ ખેડૂતોના અગ્રણીએ સરકારના પોકળ દાવાઓની પોલ ખોલી છે. સરકારના દાવાઓ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પાકની કિંમત ઘટી અને આવક બે ગણી થઇ ગઈ ? આ તે કેવું ગણિત છે ?
બધી વસ્તુઓના ભાવ વધી ગયા અને કહો છો કે આવક બમણી ?
રાકેશ ટીકૈતે કહ્યું કે પહેલા અનાજનો રેટ 3500 રૂપિયા હતો અને હવે તે 1500માં વેચાઈ રહ્યા છે. ખાતરની કિંમ્મત પણ વધી ગઈ છે અને જે ચીજવસ્તુઓની જરૂર પડે તે બધાની કિંમત વધી ગઈ છે. ડીઝલનાં ભાવ વધી ગયા છે અને સામે પાકનાં ભાવ તો ઘટી ગયા છે. તો આ ફોર્મ્યુલા સમજમાં નથી આવી રહી કે ખર્ચા વધી ગયા અને રેટ ઘટી ગયા તોય આવક બમણી ? આ કેવું ગણિત છે ? મારી એ માસ્ટર સાથે મુલાકાત કરાવો જે જ્યાં આ ગણિત ભણાવવામાં આવે છે.
નોંધનીય છે કે મોદી સરકાર વારંવાર દાવો કરવામાં આવે છે કે આ સરકારના કાર્યકાળમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવી રહી છે જેના પર ખેડૂતો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
સરકારની જીદ છે તો અમે પણ અડગ છીએ : ટિકેત
દિલ્લીમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન યથાવત છે ત્યારે ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપ ઓફિસમાં કૃષિ કાયદા સમર્થક ખેડૂતોનું ભોજન બને છે અને જે લોકો કાયદાના સમર્થનમાં આંદોલનની વાત કરે છે તેમને પૈસા મળી રહ્યા છે તેવો આરોપ પણ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે અમે એક મહિનાથી ઈચ્છીએ છીએ કે સરકાર વાત કરે. ખેડૂતો બેઠક કરવા માટે તૈયાર છે તો કૃષિ મંત્રી આવે અને ચર્ચા કરે. સરકારનો પત્ર મળશે તો અમે જવાબ આપીશું. પરંતુ સરકાર પોતાની જીદ પર છે તો અમે પણ અડગ છીએ અને કહી રહ્યા છીએ કે કાયદો પાછો ખેંચે
કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર 1 કે 2 દિવસમાં ખેડૂતો સાથે કરશે વાતઃ શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં કહ્યું કે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર 1 કે 2 દિવસમાં પ્રદર્શનકારીઓના સમૂહ સાથે માંગ પર વાતચીત કરી શકે છે.
સરકારે લખ્યો પત્ર
સરકારની તરફથી આંદોલન કારી ખેડૂતોને એક પત્ર મોકલવામાં આવ્યો છે અને વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પત્રમાં કેન્દ્રની તરફથી ખેડૂત નેતાઓની બેઠકની તારીખને લઈને સૂચનો માંગવામાં આવ્યા છે. પત્રના આધારે સરકાર ખેડૂતોની સમસ્યા સાંભળવા તૈયાર છે. સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે 40 ખેડૂત સંગઠનોને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે કેન્દ્ર ખેડૂતોની દરેક ચિંતાનું સમાધાન લાવવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ