બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ
સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન
સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'
લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું
VTV / farmers protest : modi ministers toom command for kisan andolan
Parth
Last Updated: 09:59 AM, 13 December 2020
મોદી સરકાર ખેડૂતોને મનાવવા એડીચોટીનું જોર લગાવ્યું
કૃષિ કાયદા પર ચાલી રહેલા આંદોલનની વચ્ચે મોદી સરકાર પોતાનો પક્ષ જોરશોરથી મૂકી રહી છે કે તે વાતચીત માટે તૈયાર છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરની સાથે રેલ મંત્રી પીયુષ ગોયલ મામલો સંભાળી રહ્યા છે અને આ દરમિયાન રાજનાથ સિંહ પણ એક્ટિવ થયા હોય તેવું દેખાઈ રહ્યું છે.
ફરીથી ચર્ચા થાય તેવી સંભાવના
કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે ફરીથી વાતચીત કરવા માટે પ્રયાસ કરી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે થોડા જ દિવસોમાં ફરીથી ખેડૂતો અને સરકાર વચ્ચે સંવાદ થઇ શકે છે. સૂત્રો અનુસાર ખેડૂત અગ્રણીઓ પણ વહેલામાં વહેલી તકે સમાધાન લાવવા માંગે છે.
શું છે સરકારની રણનીતિ
એક તરફ જ્યાં ખેડૂતો પોતાની માંગ પર અડગ છે ત્યાં બીજી તરફ મીડિયાનાં માધ્યમથી મોદી સરકારના વિવિધ નેતાઓએ જાણે અભિયાન છેડી રાખ્યું છે. ખેડૂતો સાથે વાતચીત કરવા માટે સરકાર તૈયાર છે તેના પર વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ સિવાય મંત્રીઓ ખેડૂતોની સાથે જોડાયેલા અન્ય સંગઠનો પર હુમલા કરી રહ્યા છે.
કયા મંત્રીઓ સક્રિય
ખેડૂતોના આંદોલન મુદ્દે નરેન્દ્ર સિંહ તોમરની સાથે સાથે રેલ મંત્રી પીયૂષ ગોયલે બાજી સંભાળી છે અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદ પણ મીડિયાના માધ્યમથી એક્ટિવ થયા છે. બીજી તરફ રાજનાથ વિવિધ યુનિયન અને નેતાઓ સાથે બેઠકૉ કરી રહ્યા છે. ગઈકાલે જ હરિયાણાના ઉપમુખ્યમંત્રી દિલ્હી આવ્યા હતા જ્યાં તેમણે એક બાદ એક ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓ સાથે આ જ મુદ્દા પર બેઠક કરી હતી. ચૌટાલાની માંગ છે કે જલ્દીથી આ મુદ્દા પર સમાધાન આવવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ