બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Excitement in Dakor and Shamlaji on Janmashtami the darshan of Thakorji stopped in the afternoon
Kishor
Last Updated: 04:10 PM, 7 September 2023
શામળાજી મંદિરમાં 'જય રણછોડ માખણચોર'ના નાદ સાથે જન્માષ્ટમીની જાજરમાન ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે મંગળા આરતી યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડયા હતા. વધુમાં આત્યંરે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા. ભક્તોએ કાન્હાના જન્મની ખુશીને લઈને મંદિર પરિષરમા અબીલ ગુલાલની છોળો સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં ભગવાન નગરચર્યાએ નીકળ્યા બાદ મંદિર પરત ફરશે. વધુમાં શોભાયાત્રાના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા.
દ્વારકામાં ભારે ભીડ
બીજી બાજુ યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા માટે દોડી ગયા હતા. જેને લઈને દ્વારકામા ભક્તોનો દરિયો ઘૂઘવ્યો હતો. કૃષ્ણ જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. વધુમાં ગોમતીઘાટ પર સ્નાન કરવાનું ખૂબ મહત્વ અને માન્યતા હોવાથી ભક્તોએ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી.
મંદિર બપોરે 1 થી 5 બંધ રહેશે. 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ પછી 2.30 વાગ્યા સુધી ભક્તો કરી શકશે. તો યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભાવ અને શ્રધ્ધા પૂરવક ઉજવણી કરવા મંદિર ટ્રસ્ટઅને ગામના યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ કરવામાં આવી છે. જગતના નાથના જન્મોત્સવને વધાવવા શામળાજીવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
આજે મંદિર પર હજારો ધજાઓ ચડશે અને વ્હાલાના વધામણા કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમ અને ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જેમાં ડાકોર મંદિર નયનરમ્ય રોશનીથી શણગારાયું છે. જેથી આ રાત્રે મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત ડાકોરની શેરી- ગલીઓ અને પ્રમુખ માર્ગોને અવનવી લાઈટના જગજગારા સાથે શણગારવામાં આવ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir