બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Every 5th surgery there is a risk of infection in the body
Kishor
Last Updated: 11:01 PM, 17 October 2023
એક ડેટા પરથી ચોંકાવનારૂ તારણ સામે આવ્યું છે કે કોઈપણ રોગની સારવાર માટે હોસ્પિટલમાં આવતા દર્દીઓને કેથેટર લગાવતી વખતે તથા IV લાઈન અથવા ટ્યુબ નાખતી વખતે ચેપ લાગવાનું જોખમ વધી શકે છે. હોસ્પિટલના પરિસરમાં રહેલા બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગના કારણે દર્દી આ ચેપનો ભોગ બની શકે છે. હોસ્પિટલોમાં ચેપ ઘટાડવા માટે, એઈમ્સ દિલ્હીના સર્વેલન્સ નેટવર્ક સાથે જોડાયેલા 39 કેન્દ્રોના 106 આઈસીયુના ડેટા પરથી જાણવા મળ્યું છે કે જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 સુધીમાં, લોહીમાં ચેપના કુલ 1747 કેસ અને યુરિન ઈન્ફેક્શનના 539 કેસ નોંધાયા હતા. આ ICU માં જોવામાં આવ્યા છે.'
સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન તરીકે ઓળખાઈ છે
AIIMS દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતુ. જેમાં વિગતો આપતા જણાવ્યું કે બ્લડ ઇન્ફેક્શનના 95 ટકા કેસ દર્દીમાં કેથેટર, IV, સેન્ટ્રલ લાઇન લગાવવાને કારણે થયા છે. દેશભરની હોસ્પિટલોમાં ચેપ ઘટાડવા માટે સર્વેલન્સ નેટવર્ક બનાવાયું જેમાં હોસ્પિટલોના મે 2017 થી જૂન 2023 સુધીના ડેટા પર નજર કરીએ તો બહાર આવ્યું કે લગભગ 4.98 ટકા કેસોમાં દર્દીઓ સર્જરીના સ્થળે, તથા સર્જરી વેળાએ ચેપગ્રસ્ત થયા હતા. એટલું જ નહીં દરેક પાંચમી સર્જરીમાં, કોઈને ચેપનું જોખમ રહેલું છે. જેને સર્જિકલ સાઇટ ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવતું હોવાનું ડો. પૂર્વા માથુરે કહ્યું હતું. જેમાં દર્દીને સર્જરી દરમિયાન અથવા ઘરે પાટો લગાવતી વેળાએ થાય છે.
17 ટકા કેસોમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા જવાબદાર
અભ્યાસમા એવું પણ સામે આવ્યું કે બ્લડ ઇન્ફેક્શનને પગલે 44 ટકા લોકોના મોત થયા છે.ICMRના દાવા મુજબ વર્ષ 2017માં 1534 દર્દીઓને ICUમાં દાખલ કરાય બાદ તેઓને બ્લડ ઇન્ફેક્શન હતું. ખાસ વાત તો એ છે કે આમાંથી 44.3 ટકા દર્દીઓ તો 14 દિવસમાં મોતને ભેટ્યા હતા. જ્યારે 40.6 ટકાને હોસ્પિટલમાંથી રજા અપાઈ તથા 3.8 દર્દીઓએ સ્વેચ્છાએ રજા લઈ અથવા અન્ય હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આમ સર્વેમાં શોધી કાઢવામાં આવ્યું કે જે વધુ હોસ્પિટલમાં દાખલ રહે છે તેને ચેપનું જોખમ રહે છે. ભારતમાં 74 ટકા કેસ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાના કારણે થયા છે. લગભગ 17 ટકા કેસોમાં ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અને અન્યમાં ફંગલ ઇન્ફેક્શન જવાબદાર હતું. વધુમાં ઘણા બેક્ટેરિયા પર એન્ટિબાયોટિક્સની અસર નોંધપાત્ર રીતે ઘટી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir