બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ભારત / Even in America, a grand celebration will be held in 1100 temples during the Pran Pratistha of Ram Temple
Priyakant
Last Updated: 10:02 AM, 20 December 2023
Ram Mandir Pran Pratishtha : અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશ-વિદેશમાં પણ ઉજવણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રામ મંદિરના અભિષેકની ઉજવણી ભારતની સાથે વિદેશમાં પણ કરવામાં આવશે. અમેરિકાના મંદિરોમાં રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે એક સપ્તાહ સુધી ચાલનારી ઉજવણીનું આયોજન કરવામાં આવશે. આ મંદિરોનું પ્રતિનિધિત્વ કરતી મહિલા અધિકારીએ કહ્યું કે, અમેરિકન મંદિરો અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પર ઉત્તર અમેરિકામાં એક અઠવાડિયા સુધી ચાલનારા ઉજવણીની તૈયારી કરી રહ્યા છે. તેમણે આગળ કહ્યું આ અમારું સૌભાગ્ય અને અમારા માટે આશીર્વાદ છે કે અમે આ પ્રસંગનો એક ભાગ છીએ અને સદીઓની રાહ અને સંઘર્ષ પછી અમારા સપનાનું મંદિર તૈયાર થઈ રહ્યું છે.
અમેરિકાની હિન્દુ ટેમ્પલ એમ્પાવરમેન્ટ કાઉન્સિલ (HMEC)ના તેજલ શાહે એજન્સીને જણાવ્યું હતું કે, અમેરિકા અને કેનેડામાં દરેક લોકો રામ મંદિરને ખૂબ સમર્પિત છે. ત્યાં મહાન ભક્તિ છે અને દરેક જણ તેમના મંદિરમાં ભગવાન શ્રી રામના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, HMEC યુનાઇટેડ સ્ટેટ્સમાં 1,100 થી વધુ હિન્દુ મંદિરોનું નેતૃત્વ કરે છે. તેજલ શાહે જણાવ્યું કે ઉત્તર અમેરિકાના નાના-મોટા મંદિરોમાં એક અઠવાડિયા સુધી ચાલનારો ઉત્સવ 15 જાન્યુઆરીથી શરૂ થશે અને 20 જાન્યુઆરીની રાત્રે અયોધ્યા રામ મંદિરના ઉદ્ઘાટનના જીવંત પ્રસારણ સાથે સમાપ્ત થશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીના પ્રતિસાદને જોતા એવું માનવામાં આવે છે કે મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હજારો હિન્દુઓ હાજરી આપશે.
PM મોદીની હાજરીમાં યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ
નોંધનિય છે કે, 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મુખ્ય યજમાન તરીકે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. આવી સ્થિતિમાં વહેલી તકે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રામ મંદિરને લઈને ઘણી માહિતી આપી. તેમણે કહ્યું કે, PM મોદી બરાબર 11 વાગે રામજન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ અમે ભગવાન રામલલાના અભિષેક માટે 11:30 સુધીમાં પહોંચી જઈશું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir