બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Kishor
Last Updated: 06:45 PM, 24 January 2024
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ધટનામાં 12 બાળકો અને બે શિક્ષિકાના મૃત્યુ થયા હતા. આ ઘટનાનો કારમો ઘા હજુ સુધી રાજ્ય આખું ભૂલી શક્યું નથી ત્યારે આ મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનું મોટુ નિવેદન પણ સામે આવ્યું છે.. કુબેર ડીંડોરનું કહેવુ છે કે આ ઘટનામાં જો શાળા સંચોલકોની ભુલ હશે તો તેમને પણ છોડવામાં આવશે નહીં. આ સાથે જ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.
જેની ભૂલ હશે કોઇને છોડવામાં નહીં આવે :કુબેર ડીંડોર
શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે કહ્યું કે શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.કુબેર ડીંડોરે કહ્યું કે જેની ભુલ હશે તે કોઈને છોડવામાં આવશે નહીં... કારણ કે આ એક માનવીય અપરાધ છે. હરણી તળાવ દુર્ઘટના મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તપાસના આદેશ આપ્યા છે.
વડોદરામાં હરણી દુર્ઘટના બાદ કમાટીબાગમાં રાઈડ્સ બંધ કરાવાઈ
ગુરૂવારે વડોદરાના હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાએ 14 જિંદગીનો ભોગ લીધો હતો. આ સમગ્ર ઘટના મામલે પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીની અટકાયત કરી છે. હરણી તળાવ દુર્ઘટના મામલે પોલીસે મેનેજર, બોટ ચલાવનાર સહિક 3ની અટકાયત કરી છે. સાથે જ કોટિયા કંપનીના ત્રણ પાર્ટનરની અટકાયત કરવામાં આવી છે. હાલ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખી રાઈડ્સ પર રોક લગાવવા આદેશ
ન્યુ સનરાઈઝ સ્કૂલના 12 વિધાર્થીઓ અને 2 શિક્ષક તળાવમાં ડૂબ્યા હતાં. જે બોટમાં આ બાળકો અને શિક્ષકો બેઠા હતા તે બોટની ક્ષમતા 16ની જ હતી પણ તેમાં 25 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા. બોટમાં ક્ષમતા કરતા વધુ બેસાડવામાં આવતા આ દુર્ઘટના બની હતી.બીજી તરફ તમામ બાળકોને લાઈફ જેકેટ વગર જ બોટમાં બેસાડી દેવામાં આવ્યા હતા.તંત્રની ઘોર બેદરકારીના કારણે આજે આ માસૂમ બાળકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બોટમાં સવાર તમામ બાળકો ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.
કમાટીબાગમાં રાઈડ્સ બંધ કરાવાઈ
વડોદરામાં હરણી દુર્ઘટના બાદ હવે કમાટીબાગમાં રાઈડ્સ બંધ કરાવી દેવામાં આવી છે. સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખી રાઈડ્સ પર રોક લગાવવા આદેશ આપવામાં આવ્યો છે. કમાટીબાગમાં જોય ટ્રેન, જમ્પિંગ જેટ, બાઉન્સી, બપિંગ કાર સહિતની રાઈડ્સ ચાલતી હતી. જે તમામ રાઈડ્સ બંધ કરાવવામાં આવી છે. તમામ સુવિધામાં સુરક્ષાની ખાતરી થયા બાદ જ રાઈડ્સ શરૂ કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir