બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Hiralal
Last Updated: 05:28 PM, 14 February 2024
દિલ્હી દારુ કૌભાંડમાં ઈડી અરવિંદ કેજરીવાલને છોડવાના જરા પણ મૂડમાં નથી. ઈડીએ કેજરીવાલને છઠ્ઠી વાર સમન્સ મોકલીને હવે 19 ફેબ્રુઆરીએ હાજર રહેવાનું જણાવ્યું છે. ઈડી દારુ કૌભાંડમાં કેજરીવાલની પૂછપરછ કરવા માગે છે.
કેજરીવાલ કેમ કરી રહ્યાં છે ઈડીના સમન્સની અવગણના
Enforcement Directorate has issued sixth summons to Delhi CM Arvind Kejriwal asking him to appear on February 19 in liquor policy case
— ANI (@ANI) February 14, 2024
(file photo) pic.twitter.com/c316WsD2iF
હકીકતમાં ઈડી દારુ કૌભાંડમાં કેજરીવાલને છોડવાના જરાય મૂડમાં નથી. માથે લોકસભા ચૂંટણી પણ છે અને કેજરીવાલને પૂરી આશંકા છે કે જો તેઓ ઈડી સામે હાજર થશે તો તેમની તરત ધરપકડ થઈ શકે છે. આમેય કેજરીવાલ ધરપકડની આશંકા તો વ્યક્ત કરી ચૂક્યાં છે.
કેજરીવાલે 5 સમન્સની અવગણના કરી
આ પહેલા દિલ્હીના સીએમે 4 સમન્સની અવગણના કરી છે. કેજરીવાલે દર વખતે ઇડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને તેની અવગણના કરતા રહ્યાં છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે. કેજરીવાલે ખુદ સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેમને પ્રચાર કરતા રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ખોટા કેસમાં તેમની ધરપકડ થઈ શકે છે.
#WATCH | Delhi: BJP spokesperson Shehzad Poonawalla says, "AAP doesn't stand for Aam Aadmi Party but 'Atikraman aur Paapi Party'. Imagine the mindset of Arvind Kejriwal that his party has encroached on the land allotted to the Delhi High Court and made political office... CJI has… pic.twitter.com/3VftTbJYjz
— ANI (@ANI) February 14, 2024
આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓની ધરપકડ
કથિત દારૂ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા એક વર્ષથી તિહાડ જેલમાં બંધ છે, જ્યારે રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરવામાં આવી હતી. તે પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સિસોદિયા અને સિંહ પહેલા આમ આદમી પાર્ટીના નેતા વિજય નાયરની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે સ્વાસ્થ્યના કારણોસર બે અઠવાડિયા માટે વચગાળાના જામીન પર બહાર છે.
દિલ્હી દારૂ કૌભાંડ શું છે?
નવેમ્બર 2021માં દિલ્હી સરકારે નવી આબકારી નીતિની શરૂઆત કરી હતી, તેના કરણે દિલ્હીમાં દારૂ સસ્તો થયો અને છૂટક વેપારીઓને પણ છૂટ મળી હતી. જોકે, ભાજપ દ્વારા દારૂ વેચવા માટેના લાયસન્સ આપવામાં ગોટાળો થયનો આક્ષેપ લગાવ્યો હતો અને તેના અનુસાર, પાર્ટીના મનપસંદ ડીલરોને લાભ મળ્યો. જુલાઈ 2022 સુધીમાં મામલો એટલો ગરમાયો કે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનયકુમાર સક્સેનાએ મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટના આધારે સીબીઆઈ તપાસની મંજૂરી આપી હતી. આ કેસની તપાસમા સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. બાદમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir