બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / dont drink water while eating, your intestine will be damaged
Vaidehi
Last Updated: 07:36 PM, 11 May 2023
આપણું આયુર્વેદ વર્ષોથી કહે છે કે સર્વ રોગનું મૂળ પેટ છે. તેના કારણે આપણા શરીરમાં દરેક સમસ્યા જન્મે છે. તેનાં મૂળ ક્યાંક ને ક્યાંક તો પેટ સાથે જોડાયેલાં જ હોય છે. આપણે પેટમાં ગમે તેવો ખોરાક નાખીએ છીએ તેથી પેટ બગડવા લાગે છે. જે વ્યક્તિનું પેટ સારું હોય તે નીરોગી રહે છે, તેને કોઇ બીમારીનો ખતરો રહેતો નથી. સ્વસ્થ રહેવા માટે તેથી જ પાચનતંત્રને વધારે મજબૂત કરવું જરૂરી છે. તમારી પાચનક્રિયા સારી હોય તો તમારું શરીર અને મગજ સ્વસ્થ રહેશે. તેથી તેની અસર તમારી કામ કરવાની શક્તિ પર વધારે પડે છે. તેથી આપણે ભોજન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. તેથી તમારે વધારે પડતું ભોજન ન કરવું, સમય પર ભોજન કરી લેવું અને મોડે સુધી જાગતાં રહેવું નહિ અને એક મહત્ત્વની વાત જમતી વખતે પાણી પીવું નહીં.
જમતી વખતે પાણી ન પીવું
ઘણી વ્યક્તિઓને જમતી વખતે પાણીનો ગ્લાસ સાથે લઇને બેસવાની આદત હોય છે. રોજિંદા ભોજનમાં દાળ-ભાત, રોટલી-શાક, દૂધ-દહીં અને ઘણી જાતનાં ફળ લઈએ છીએ. આ બધી વસ્તુ પેટમાં જાય છે ત્યારે તે પેટમાં આપણા શરીર માટે ઊર્જા ઉત્પન્ન કરે છે. તેથી આપણા શરીરને શક્તિ મળી રહે છે. જ્યારે આપણે ભોજન કરી લઈએ છીએ ત્યારે આપણા પેટની અંદર બે ક્રિયા થવા લાગે છે, પાચન અને ફર્મેન્ટેશન.
પાચનની સમસ્યા ઊભી થાય છે
આપણે જે કંઈ પણ ભોજન તરીકે ખાઈએ છીએ તે આપણા શરીરમાં જાય છે અને જમતા સમયે જે પેટમાં અગ્નિ પ્રજ્વલિત થાય છે તેને આપણે જઠરાગ્નિ તરીકે ઓળખીએ છીએ. તે અગ્નિ આપણે ભોજન કરવાનું ચાલુ કરીએ ત્યારથી લઈને ભોજન પતી જાય ત્યાં સુધી ઉત્પન રહે છે. કેટલાક લોકોને ભોજન કરતા સમયે પાણી પીવાની આદત હોય છે અને ઘણા તો તેની સાથે ઠંડું ફ્રીઝનું પાણી પીએ છે. આવું કરવાથી જઠરાગ્નિ ઠરી જાય છે. તેથી પાચનની સમસ્યા ઊભી થાય છે.
તેથી જમતી વખતે વચ્ચે પાણી ન પીવું જોઇએ.
જમ્યાના અડધા કલાક બાદ જ પાણી પીવું
જમ્યાના અડધા કલાક બાદ જ પાણી પીવું જોઇએ, જેથી પાચનક્રિયા સરળ થાય. આયુર્વેદ મુજબ પેટમાં આ અગ્નિ ઉત્પન્ન થશે ત્યારે જ પેટમાં રહેલું ભોજન પચે છે અને તેનો રસ બને છે. જો આપણા પેટમાં આ અગ્નિ ઓલવાઈ જશે તો તમારા પેટમાં રહેલો ખોરાક પચી શકે નહીં અને તે સડવા લાગે. તે પેટની અંદર બગડી જાય છે. તેના કારણે આપણા શરીરમાં અનેક બીમારી થઇ શકે છે, જેવી કે યુરિક એસિડ, કોલેસ્ટ્રોલ અને હૃદયને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેનાથી ઘણી ગંભીર બીમારીઓ શરીરમાં પ્રવેશી શકે છે. જો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું હોય તો આપણે પહેલાં આપણા પેટને સ્વસ્થ્ય રાખવું જોઈએ. તેથી આપણે ભોજન કર્યા બાદ અડધાથી એક કલાક પછી પાણી પીવું જોઈએ અને ભોજન કરતા સમયે આપણે તેની સાથે પાણી ન પીવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir