બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:53 AM, 18 February 2024
ADVERTISEMENT
ઘરમાં દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ભગવાનને ભોગ પણ ધરાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાનને ભોગ અર્પણ કરવામાં તે પ્રસાદ ભગવાન ખુદ ગ્રહણ કરે છે. ભોગ લગાવવા દરમિયાન નાની અમથી ભૂલ કરવાને કારણે ભગવાન તમારા પર કોપાયમાન થઈ શકે છે. જેના કારણે તમે ભગવાનની પૂજા કરો તેનું ફળ પ્રાપ્ત થતું નથી અને તમને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ ભગવાનને ભોગ ધરાવતા સમયે શું ભૂલ ના કરવી જોઈએ?
ભોગ ધરાવતા સમયે આ ભૂલ ના કરવી
પૂજા કરતા સમયે આ ભૂલ બિલ્કુલ પણ ના કરવી જોઈએ. ભોગ ભગવાન માટે બનાવવામાં આવે છે અને લોકો તેમાંથી ખાવાનું શરૂ કરી દે છે. તેમાંથી જ ભગવાનને ધરાવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ પ્રકારે કરવું તે અયોગ્ય માનવામાં આવે છે. ભગવાન માટે જે પણ ભોગ તૈયાર કરવામાં આવે છે, તેમાંથી જ ખાવામાં આવે તો ભોજન એંઠુ ગણાય છે. આ કારણોસર જે પણ ભોગ બનાવો તેમાંથી સૌથી પહેલા ભગવાન માટેનો ભોગ અલગ કાઢી લેવો. ત્યારપછી તે ભોજન કરી શકાય છે. આ પ્રકારે કરવાથી ભગવાનને ધરાવેલ ભોગ એંઠો ગણાતો નથી. શાસ્ત્રો અનુસાર ભગવાનને એંઠો ભોગ ધરાવવો તે અશુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
ભોગ ધરાવતા સમયે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.