બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Arohi
Last Updated: 06:25 PM, 20 December 2022
હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. દાનને પુણ્યનું કાર્ય ગણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે દાન કરવાથી ભગવાનની કૃપા બની રહે છે અને વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે વ્યક્તિએ હંમેશા સમજી વિચારીને દાન કરવું જોઈએ. કેટલીક વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિ પુણ્યનો નહીં પણ પાપનો ભાગીદાર બને છે.
લોખંડનો સામાન
જ્યોતિષમાં જણાવ્યા અનુસાર લોખંડનું દાન કરવાથી વ્યક્તિ પર મુશ્કેલીઓનો પહાડ તુટી પડે છે. જેના કારણે વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. કહેવાય છે કે લોખંડની વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
લોખંડનો સંબંધ શનિદેવ સાથે કહેવાય છે. લોખંડમાં શનિ ભગવાનનો વાસ છે. એવું કહેવાય છે કે જો કોઈને લોખંડની વસ્તુઓ દાન કરવામાં આવે તો શનિદેવ ક્રોધિત થાય છે.
કાળા તલ
વૈદિક શાસ્ત્રો અનુસાર કાળા તલનો સીધો સંબંધ રાહુ અને કેતુ સાથે છે. તેની સાથે જ શનિદેવ સાથે કાળા તલનો સંબંધ પણ જણાવવામાં આવે છે. જ્યોતિષમાં તલનું દાન કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
પરંતુ કાળા તલનું દાન કરવાની મનાઈ કરવામાં આવી છે. કહેવાય છે કે કાળા તલનું દાન કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર થાય છે. તેની સાથે વ્યક્તિને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડે છે.
મીઠાનું દાન
મીઠાનું દાન વ્યક્તિને ઋણી બનાવે છે. જ્યોતિષમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને મીઠું દાન ન કરો. મીઠું દાન કરવાથી વ્યક્તિએ શનિની સાડેસાતીનો સામનો કરવો પડે છે. ઉપરાંત વ્યક્તિ ધીરે ધીરે દેવામાં ડૂબી જાય છે.
માચીસ
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિને કેટલીક વસ્તુઓનું દાન કરવાથી વિશેષ ફળ મળે છે. તેવી જ રીતે કેટલીક વસ્તુઓનું દાન વ્યક્તિને મુશ્કેલીમાં લઈ જાય છે. આમાંથી એક છે માચીસનું દાન.
એવું કહેવાય છે કે જો તમે ભૂલથી પણ કોઈને માચીસની લાકડીઓ દાન કરી દો છો તો તેનાથી પરિવારની શાંતિમાં ખલેલ પહોંચે છે. અને પરિવારમાં કોઈ કારણ વગર ઝઘડા થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir