બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Does your body really change color according to emotions research on body

સંશોધન / પ્રેમ આવે તો ચાલ ધીમી, ટેન્શનમાં ગુસ્સો કેમ? શું ભાવનાઓ પ્રમાણે શરીર બદલે છે રંગ-ઢંગ, રિસર્ચમાં અંદરનો દાવો

Dhruv

Last Updated: 09:03 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

701 લોકોને અલગ-અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. પછી તેઓને વિવિધ લાગણીઓ સાથે વાર્તાઓ કહેવામાં આવી, ફિલ્મ બતાવવામાં આવી હતી.

આપણી લાગણી કે ભાવના આધારે શરીરનો રંગ બદલાય ખરો? 

શું  શરીરનો રંગ ખરેખર ભાવનાઓ અનુસાર બદલાય!  આ અંગે શું કહે છે નવું સંશોધન

તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે ગુસ્સામાં વ્યક્તિનો ચહેરો લાલ થઈ ગયો.  શરમથી તેનો ચહેરો ગુલાબી થઈ ગયો. ડરથી ચહેરો ફિક્કો પડી ગયો. શું ખરેખર લાગણીઓ અનુસાર આપણો ચહેરા રંગ બદલે  છે? આવો  જણાવીએ શું હકીકત છે.

સંશોધન શું કહે છે?

તાજેતરમાં PNAS જર્નલમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. આ રિપોર્ટમાં આપણા શરીરનો રંગ અને તાપમાન લાગણીઓ અનુસાર કેવી રીતે બદલાય છે. તેના અંગેનું  સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં  વૈજ્ઞાનિકોએ 701 લોકો પર અભ્યાસ કર્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ સંશોધન થકી. ભવિષ્યમાં  માનસિક બીમારીથી પીડિત લોકોની સારવારમાં  મદદ મળશે. 

સંશોધન દરમિયાન 701 લોકોને અલગ-અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. પછી તેઓને વિવિધ લાગણીઓ સભર  વાર્તાઓ કહેવામાં આવી હતી. સાથે ફિલ્મો પણ બતાવવામાં આવી અને ચહેરાના વિવિધ હાવભાવ પણ બતાવવામાં  આવ્યા હતા. જેના આધારે તેમની અંતર થઈ રહેલા  ફેરફારોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

વાંચવા જેવું: જ્વાળામુખી જેવો ગુસ્સો કરે છે આ 5 રાશિના જાતકો, એકવાર ગુસ્સો આવી જાય તો પછી કરી બેસે છે એવું કે

શરીરમાં શું ફેરફારો થાય છે

જ્યારે શરીર વિવિધ લાગણીઓની અસરમાં  હોય છે, ત્યારે શરીરમાં વિવિધ પ્રકારના ફેરફારો થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે, ત્યારે તેની ચાલ હળવી  થઈ જાય છે અને  એક્સાઇટમન્ટ વધુ જોવા મળે છે. હૃદયના ધબકારા વધી જાય છે.  જ્યારે  બેચેની કે ડરમાં શરીર સુક્ષ્મ રીતે  ધ્રૂજવા થવા લાગે છે. હાથમાં પરસેવો થાય છે. જ્યારે  તણાવમાં હોવ અથવા એકાગ્રહ હોવ ત્યારે  તે સમયે જો કોઈ તમને ખલેલ પહોંચાડે તો તમે ચિડાઈ જાઓ છો. માથાના ભાગમાં દુખાવો થવા લાગે છે. 

આમ જુદી જુદી લાગણી અને હાવભાવનું સંશોધન કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ  સંશોધન આગામી સમય માનસીક રીતે બિમાર  લોકોના વર્તનને સમજવા મદદરૂપ થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ