બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Dhruv
Last Updated: 09:03 AM, 4 March 2024
આપણી લાગણી કે ભાવના આધારે શરીરનો રંગ બદલાય ખરો?
શું શરીરનો રંગ ખરેખર ભાવનાઓ અનુસાર બદલાય! આ અંગે શું કહે છે નવું સંશોધન
તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે ગુસ્સામાં વ્યક્તિનો ચહેરો લાલ થઈ ગયો. શરમથી તેનો ચહેરો ગુલાબી થઈ ગયો. ડરથી ચહેરો ફિક્કો પડી ગયો. શું ખરેખર લાગણીઓ અનુસાર આપણો ચહેરા રંગ બદલે છે? આવો જણાવીએ શું હકીકત છે.
તાજેતરમાં PNAS જર્નલમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. આ રિપોર્ટમાં આપણા શરીરનો રંગ અને તાપમાન લાગણીઓ અનુસાર કેવી રીતે બદલાય છે. તેના અંગેનું સંશોધન કરવામાં આવ્યું હતું. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ 701 લોકો પર અભ્યાસ કર્યો હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ સંશોધન થકી. ભવિષ્યમાં માનસિક બીમારીથી પીડિત લોકોની સારવારમાં મદદ મળશે.
સંશોધન દરમિયાન 701 લોકોને અલગ-અલગ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. પછી તેઓને વિવિધ લાગણીઓ સભર વાર્તાઓ કહેવામાં આવી હતી. સાથે ફિલ્મો પણ બતાવવામાં આવી અને ચહેરાના વિવિધ હાવભાવ પણ બતાવવામાં આવ્યા હતા. જેના આધારે તેમની અંતર થઈ રહેલા ફેરફારોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.
જ્યારે શરીર વિવિધ લાગણીઓની અસરમાં હોય છે, ત્યારે શરીરમાં વિવિધ પ્રકારના ફેરફારો થાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે, ત્યારે તેની ચાલ હળવી થઈ જાય છે અને એક્સાઇટમન્ટ વધુ જોવા મળે છે. હૃદયના ધબકારા વધી જાય છે. જ્યારે બેચેની કે ડરમાં શરીર સુક્ષ્મ રીતે ધ્રૂજવા થવા લાગે છે. હાથમાં પરસેવો થાય છે. જ્યારે તણાવમાં હોવ અથવા એકાગ્રહ હોવ ત્યારે તે સમયે જો કોઈ તમને ખલેલ પહોંચાડે તો તમે ચિડાઈ જાઓ છો. માથાના ભાગમાં દુખાવો થવા લાગે છે.
આમ જુદી જુદી લાગણી અને હાવભાવનું સંશોધન કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સંશોધન આગામી સમય માનસીક રીતે બિમાર લોકોના વર્તનને સમજવા મદદરૂપ થશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir