બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / Do not open the closed doors of the Taj Mahal: After the High Court, the Supreme Court also rejected the petition
Priyakant
Last Updated: 12:47 PM, 21 October 2022
સુપ્રીમ કોર્ટે આજે તાજમહેલના 22 બંધ ઓરડાઓ ખોલવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે આ અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે , અરજદારે જઈને ઈતિહાસનો અભ્યાસ કરવો જોઈએ. આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા કહ્યું કે, હાઈકોર્ટે યોગ્ય નિર્ણય લીધો છે. આ અરજી જાહેર હિતને બદલે પ્રસિદ્ધિ માટે દાખલ કરવામાં આવી હોવાનું જણાય છે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાંથી અરજીને ફગાવી દેવાયા બાદ અરજદારના વકીલ રુદ્ર વિક્રમ સિંહે કહ્યું કે, આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ તેને ફગાવી દીધી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે. રૂમ ખોલવાની માંગણી માટે કોઈપણ ઐતિહાસિક સંશોધનની જરૂર છે, અમે રિટ પિટિશન પર ધ્યાન આપી શકતા નથી, આ અરજી ફગાવી દેવામાં આવે છે.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે ?
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ અને એમએમ સુંદરેશની બેન્ચે આ અરજીને "જાહેર હિતની અરજી" ગણાવીને ફગાવી દીધી હતી. બેન્ચે અલ્હાબાદ હાઇકોર્ટના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. જેણે માર્ચ 2022માં અરજદારની અરજીને ફગાવી દીધી હતી. આ સાથે અરજદારે તાજમહેલના વાસ્તવિક ઇતિહાસનો અભ્યાસ કરવા અને વિવાદને શાંત કરવા અને સ્પષ્ટ કરવા માટે ફેક્ટ-ફાઇન્ડિંગ સમિતિની રચના કરવાની માંગ કરી હતી.
મહત્વનું છે કે, દાખલ કરવામાં આવેલી અરજીમાં તાજમહેલમાં હાજર 22 રૂમને ખોલવાની માંગ કરવામાં આવી છે. તેના પરથી જાણી શકાય છે કે, તેમની અંદર કોઈ દેવી-દેવતાની મૂર્તિ કે શિલાલેખ છે કે નહીં. તાજમહેલના આ 22 રૂમ ઘણા દાયકાઓથી બંધ છે. ઈતિહાસકારોના મતે એવું કહેવાય છે કે મુખ્ય સમાધિ અને ચમેલીના માળની નીચે 22 રૂમ છે, જે હજુ પણ બંધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir