બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Diwali 2023 narak chaturdashi do this remedy on kali chaudash for money

Diwali 2023 / કાળી ચૌદશનો સૌથી ખાસ ટોટકો: આ એક ઉપાય કરવાથી પૈસાની તંગી થશે દૂર, પરિવારને થશે અઢળક ધનલાભ

Arohi

Last Updated: 02:58 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023: કાળી ચૌદસના દિવસે લક્ષ્મીજી તેલમાં નિવાસ કરે છે. આ દિવસે શરીર પર  તેલ લગાવવાથી આર્થિક રીતે સંપન્નતા આવે છે. જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે તેમણે આ દિવસે શરીર પર તેલ જરૂર લગાવવું જોઈએ. તેમની પાસે પૈસા આવવા લાગે છે.

  • કાળી ચૌદસના દિવસે કરો આ ઉપાય 
  • શરીર પર લગાવો તેલ
  • આર્થિક તંગીથી મળશે છુટકારો

જો તમે પૈસાની કમીથી પરેશાન છો તો કાળી ચોદસના દિવસે અમુક ઉપાય કરવાથી ગરીબી દૂર થઈ જાય છે. તમારા ઘરમાં પણ ધનવર્ષા થવા લાગશે, જીવનના દરેક આર્થિક સંકટ દૂર થશે. 

કાળી ચૌદસના દિવસે મલિનતાને દૂર કરવાની હોય છે માટે આ દિવસ પહેલા જ લોકો ઘરોની સારી રીતે સફાઈ કરે છે. કાળી ચૌદસના દિવસે લક્ષ્મીજી તેલમાં નિવાસ કરે છે. આ દિવસે શરીરમાં તેલ લગાવવાથી આર્થિક રૂતે સંપન્નતા આવે છે. જે લોકો આર્થિક તંગીથી પરેશાન છે તેમણે આ દિવસે શરીર પર તેલ જરૂર લગાવવું જોઈએ. તેમની પાસે પૈસા આવવા લાગે છે. 

આ દિવસને લઈને ઘણી માન્યતાઓ 
કાળી ચૌદસને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. પહેલા માન્યતા એ છેકે આ દિવસે રામ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. આ દિવસે હનુમાનજીની આરાધના જરૂર કરવી જોઈએ. આ દિવસે જે લોકોનો આખો પરિવાર મળીને સૌ વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમના પરિવારમાંથી દુખો દુર થાય છે. તેમને જીવનમાં ઘણા પ્રકારના બંધન સંકેટ અને સ્ટ્રેસમાંથી મુક્તિ મળી જાય છે. 

કહેવાય છે કે દિવાળીના દિવસે જ લંકા પર વિજય મેળવી ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતા માતા સાથે અયોદ્યા પરત ફર્યા હતા. તેમનું સ્વાગત લોકોએ દીપોત્સવ કરીને કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. માટે તેને નરક ચતુર્થી પણ કહેવામાં આવે છે. 

યમને ખુશ કરી મેળવો તકલીફોમાંથી મુક્તિ 
આ દિવસનું મહત્વ સૂર્ય પુત્ર યમને સાથે પણ જોડવામાં આવ્યું છે. તેનું નામ સાંભળતા જ વ્યક્તિ ડરી જાય છે તે દેવતા છે સૂર્યપુત્ર યમ. તેમને પ્રસન્ન કરવાથી વ્યક્તિની અકાળ મૃત્યુ નથી થતી. તેમના નામ પર ઘરના દક્ષિણ દિશામાં ચૌમુખી દિવો કરવામાં આવે છે. કાળી ચૌદસે સાંજે હાથીને શેરડી કે કંઈક ગળ્યું ખવડાવવાથી જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ