બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
VTV / Defense Minister Rajnath Singh to go to J&K: Agitation rages in Rajouri after five jawans are martyred
Priyakant
Last Updated: 10:06 AM, 6 May 2023
જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને બારામુલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સાથે જમ્મુ સેક્ટરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાત લેશે. નોંધનીય છે કે, નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પહેલેથી જ ગ્રાઉન્ડ ઝીરો પર હાજર છે, જ્યાં સેનાએ ફરીથી આતંકીઓને શોધી કાઢ્યા છે. તેમને ગ્રાઉન્ડ ઝીરો પર હાજર સૈન્ય અધિકારીઓ દ્વારા આતંકવાદ વિરોધી ઓપરેશનના તમામ પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
એક આતંકવાદીને ઠાર
બારામુલ્લામાં આજે સવારે સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કરના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. બારામુલ્લાના SSP અમોદ અશોક નાગપુરેએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, કેટલીક શંકાસ્પદ ગતિવિધિઓની જાણ થઈ હતી. કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન અમારી તરફ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને જવાબી ગોળીબારમાં લશ્કરનો એક આતંકવાદી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ યારહોલ બાબાપોરા કુલગામનો રહેવાસી આબિદ વાની તરીકે થઈ છે. તેમણે કહ્યું કે, G20 સમિટને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળો સતર્ક છે અને અમે ખતરાને બેઅસર કરી રહ્યા છીએ. બારામુલ્લાના SSPએ કહ્યું કે G20 સમિટનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવશે.
Defence Minister Rajnath Singh to visit Jammu's Rajouri today
— ANI (@ANI) May 6, 2023
Five soldiers lost their lives in an encounter in the Kandi area of Rajouri yesterday pic.twitter.com/3odzPCMBRS
ભારતીય સેનાએ રાજૌરી એન્કાઉન્ટર વિશે શું કહ્યું ?
ભારતીય સેનાએ રાજૌરી એન્કાઉન્ટર વિશે જણાવ્યું હતું કે, સુરક્ષા દળો દ્વારા 1 આતંકવાદી માર્યો ગયો છે અને 1 વધુ ઘાયલ થવાની સંભાવના છે. અત્યાર સુધી કરાયેલી જપ્તીઓમાં 1 AK56, 4 મેગેઝીન, 56 રાઉન્ડ ગોળીઓ, મેગેઝીન સાથે 1x9mm પિસ્તોલ, 3 ગ્રેનેડનો સમાવેશ થાય છે. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ હજુ સુધી મળી શકી નથી. આર્મી ઓપરેશન ચાલુ છે.
Northern Army Commander Lt Gen Upendra Dwivedi is at Ground Zero, to review the operational situation on the ongoing operations at Kandi in Rajouri where contact was re-established with militants. He was briefed on all aspects of the operations by ground commanders. pic.twitter.com/2rQTPLs2fW
— ANI (@ANI) May 6, 2023
કાશ્મીર ઝોન પોલીસે શું કહ્યું ?
આ તરફ કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં શરૂ થયું હતું. રાજૌરીના કાંડી જંગલમાં હાલમાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને વિસ્તારોમાં ઓછામાં ઓછા 8 થી 9 આતંકીઓ ઘેરાયેલા છે.
ગઈકાલે 5 જવાનો થયા હતા શહીદ
નોંધનીય છે કે, ગઈકાલે રાજૌરીમાં એન્કાઉન્ટર દરમિયાન આતંકીઓએ કરેલા વિસ્ફોટમાં આપણા 5 જવાનો શહીદ થયા હતા. સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, શનિવારે બપોરે 1.15 વાગ્યે આતંકવાદીઓને ટ્રેસ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચ્યા અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો. પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આતંકી હુમલામાં બે જવાન ઘટનાસ્થળે જ શહીદ થયા હતા.ઘાયલ થયેલા વધુ ત્રણ સૈનિકોનું પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બારામુલ્લા અને રાજૌરીમાં સેનાની સાથે CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો પણ આતંકવાદ વિરોધી ઓપરેશનમાં સામેલ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ
આયુષ્યમાન ભવ / વૈજ્ઞાનિકોની સોનેરી સલાહ: 100 વર્ષ જીવવું હોય તો દરરોજ સવારે ઉઠી કરો આ 2 કામ
Workplace Health Tips