બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Dakho again in Gujarat Congress: Ex-MLA Gyasuddin Sheikh annoyed, Kharge, Rahul Gandhi, Priyanka Gandhi was tagged in tweet
Last Updated: 12:11 AM, 23 June 2023
ADVERTISEMENT
ગુજરાતમાં હાલ કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ યથાવત છે. ત્યારે કોંગ્રેસનાં સિનિયર નેતાઓથી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ નારાજ હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ટ્વીટ કરી નારાજગી દર્શાવી છે. ગુજરાતમાં કોંગ્રેસનાં ઈતિહાસની સૌથી ખરાબ હાર છે. ત્યારે હારનું કારણ શોધવાવાળી સત્ય શોધક સમિતિ પર ગ્યાસુદ્દીન શેખે સવાલો ઉઠાવ્યા છે. ગ્યાસુદ્દીન શેખ દ્વારા મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને ટ્વિટમાં ટેગ કરીને માંગ કરી છે. જેમાં દિવસ-રાત મહેનત કરતા નેતાઓને મહત્વ આપવાની માંગ કરી છે.
પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્લી પહોંચ્યા
છેલ્લા કેટલાય સમયથી શુષ્ક અવસ્થામાં રહેલ ગુજરાત કોંગ્રેસમાં નવી 'શક્તિ'નો સંચાર થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલે કમાન સંભાળ્યા બાદ નવાજૂનીના ભણકારા વાગી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં જુસ્સો ભરવા કવાયાત હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દિલ્લી પહોચ્યા છે. અચાનક પ્રદેશ પ્રમુખ દિલ્લી રવાના થતા ગુજરાત કોંગ્રેસમાં નવી જૂનીના એંધાણના અણસાર મળી રહ્યા છે. બીજી બાજુ દિલ્લીમાં અગત્યની બેઠક હોવાથી શક્તિસિંહ ગોહિલ દિલ્હી ગયાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
ગુજરાત કોંગ્રેસનુ આશાસ્પદ પરિણામ મેળવવાની કટીબધ્ધતા સાથે એક જુથ-એક વિચાર-એક રાગ સાથે ગુજરાત કોંગ્રેસના ઉજાઁવાન નેતૃત્વે કોંગ્રેસ અધ્યક્ષની મુલાકાત કરી……
— Manhar Patel (@inc_manharpatel) June 22, 2023
We need your Support for 2024 🙏 @INCIndia @INCGujarat pic.twitter.com/VJB1Ri82Q7
ADVERTISEMENT
યુથ કોંગ્રેસ પ્રમુખે આક્ષેપોનો વળતો જવાબ આપ્યો
એકબાજુ પ્રદેશ પ્રમુખને બદલીને ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસમાં અંદરો અંદર ચાલી રહેલ વિખવાદનાં કારણે રોજ મીડિયામાં એકબીજી પર કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આક્ષેપબાજી કરવામાં આવી રહી છે. સત્ય શોધ સમિતીનાં રિપોર્ટ બાદ પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા ટિકીટ વેચાણ કર્યાનાં આક્ષેપ બાદ આજે યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ દ્વારા રાજેશ ગોહિલનાંઆક્ષેપોનો વળતો જવાબ આપ્યો હતો.
बुरी हार की कारणों की तहकीकात करने वाली फैक्ट फाउंडिंग कमिटी ने अपने रिपोर्ट मे यह नहीं कहा के दिन रात काम करनेवालों को भी महत्व दिया जाए ?2/2
— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) June 22, 2023
ADVERTISEMENT
પ્રભારી અને પ્રમુખે વહીવટ કરીને ટિકિટ આપીઃ પૂર્વ MLA રાજેશ ગોહિલ
કોંગ્રેસની સત્યશોધક સમિતિના રિપોર્ટ બાદ કોંગ્રેસના પૂર્વ MLA રાજેશ ગોહિલે કહ્યું કે, સત્યશોધક સમિતિનો રિપોર્ટ સાચો છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ટિકિટનું વેચાણ કર્યું છે. જેના કારણોસર સારા આગેવાનોની ટિકિટ કપાઈ હતી. તેમણે જણાવ્યું છે કે, 2022માં કોંગ્રેસનું ધોવાણ થયું તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જવાબદાર છે. તમામ નેતાઓએ મોટામોટા વહીવટ કરી ટિકિટ આપી છે. તો રાજેશ ગોહિલે પ્રદેશ પ્રમુખ અને પ્રભારીને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે.
ADVERTISEMENT
विधायक इमरान खेडावाला और सीनियर पूर्व विधायक गयासुद्दीन शेख आपसे निवेदन करते है
— Gyasuddin Shaikh (@Gyasuddin_INC) June 22, 2023
ऐसा महसूस हो रहाहे गुजरात कांग्रेस ने इतिहास की सबसे बुरी हार के बावजूद कुछ सबक नहीं सिखा ? @kharge @RahulGandhi @priyankagandhi @kcvenugopalmp @shaktisinhgohil
1/2 pic.twitter.com/3GotzTxlDU
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.