બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / cyclone Biparjoy speed down says imd director mrityunjay mahapatra give upade
Malay
Last Updated: 02:28 PM, 14 June 2023
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે વાવાઝોડા પહેલા રાજ્યના દરિયા કિનારા પાસે તેની મોટા પ્રમાણમાં અસર દેખાઈ રહી છે. બિપોરજોય વાવાઝોડું સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ વાવાઝોડું આવતીકાલે ગુરુવાર (15 જૂન)એ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે, જેના માટે વહીવટી તંત્ર એલર્ટ છે. વાવાઝોડાનું સૌથી વધુ સંકટ દરિયા કિનાર પર જોવા મળી રહી છે. જેના કારણે હજારો લોકોને સ્થળાંતરિત કરાયા છે. ચક્રવાત બિપોરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્રએ સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સની પણ મદદ લીધી છે. આ દરમિયાન વાવાઝોડા અંગે મોટી માહિતી સામે આવી છે.
છ કલાકમાં બિપોરજોય વાવાઝોડું ધીમુ પડ્યું
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક (ડાયરેક્ટર જનરલ) મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું છે કે, છેલ્લા છ કલાકમાં બિપોરજોય વાવાઝોડું ધીમુ પડ્યું છે. બિપોરજોય વાવાઝોડું હાલમાં ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિમી દૂર છે. છેલ્લા 6 કલાકમાં વાવાઝોડાની ગતિ ધીમી પડી છે અને તે લગભગ સ્થિર છે.
આવતીકાલે ટકરાશે બિપોરજોય વાવાઝોડું
મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે, હાલની આગાહી મુજબ તે ભારે વાવાઝોડાના રૂપમાં 15મી જૂને સાંજે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા સાથે ટકરાશે. આ દરમિયાન પવનની ગતિ 125-135 કિમી પ્રતિ કલાકની રહેશે, જે 150 કિમી પણ હોઈ શકે છે. વાવાઝોડાની ઝડપ કચ્છમાં સૌથી વધારે રહી શકે છે. માછીમારોને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી 15મી તારીખ સુધી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આજે બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. ગુરુવારે પણ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદ પડશે.
શુક્રવારે ઘટી જશે ઝડપ
વાવાઝોડાની અસર ગુરુવારે સૌથી વધુ રહેશે. બીજા દિવસે 16મીએ સવારે તેની ઝડપ ઘટીને 85 કિ.મી. સુધી પહોંચી જશે. વાવાઝોડું 17મીએ રાજસ્થાનમાં પ્રવેશ કરશે પરંતુ ત્યાં સુધીમાં તેની ઝડપ ઘણી ઓછી હશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir