બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Dinesh
Last Updated: 07:42 PM, 11 June 2023
અરબી સમુદ્રમાંથી ઉદભવેલું બિપોરજોય નામનું વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. અત્યાર સુધી ગુજરાત પર ખાસ અસર નહીં જોવા મળે તેવી આગાહી હતી જો કે વાવાઝોડું પોતાની દિશા બદલતા હવે ગુજરાત પર તેનો સૌથી વધુ ખતરો છે. હાલ ગુજરાતના દરિયાના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દ્વારકા, પોરબંદર, ગીરસોમનાથ, કચ્છ સહિતના જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર દરિયામાં જોવા મળી છે. હાલ તમામ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 15 જૂને દરિયા કાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની કરવામાં આવી છે. જેને વહીવટી તંત્ર સજ્જ થઇ ગયું છે. તમામ જિલ્લા અધિકારીઓને સૂચના આપી દેવાઇ છે.
બિપરજોય વાવાઝોડું 15 જૂનના રોજ સૌરાષ્ટ્રને ક્રોસ કરશે
સંભવિત બિપોરજોય વાવાઝોડાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, આ વાવાઝોડું પોરબંદરના સમુદ્રથી 420 કિ.મી દૂર છે અને દ્વારકાના સમુદ્રથી 4601 કી.મી દૂર છે તેમજ નલિયાના સમુદ્રથી 550 કી.મી. દૂર બિપરજોય વાવાઝોડુ છે અને 15 જૂનના રોજ સૌરાષ્ટ્રને ક્રોસ કરશે.
પોરબંદરથી 420 કિલોમીટર દૂર
બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 420 કિલોમીટર દૂર અને દ્વારકાથી 530 કિમી દૂર છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે. ગઇકાલે રાતે એન.ડી.આર.એફની ટીમ પોરબંદર પહોચી ગઈ છે.
કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે વાવાઝોડું
IMDની વેબસાઈટ મુજબ, વાવાઝોડું માંડવીથી પણ પસાર થઈ શકે છે. વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડું 15 જૂને માંડવી અને કરાંચીની વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા છે. આ વચ્ચે હવે કચ્છના દરિયા કાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. જખૌ પોર્ટ ખાતે માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડાઈ છે. જખૌ પોર્ટ ખાતે પવનની ગતિમાં વધારો થયો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir