બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Crowd of devotees at Somnath temple on the first day of Shravan month
Malay
Last Updated: 10:36 AM, 17 August 2023
હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર અને શિવભક્તોમાં અતિપ્રિય એવો શ્રાવણ મહિનો આજથી (17 ઓગસ્ટ)થી શરૂ થયો છે. ત્યારે આજે વહેલી સવારથી જ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. 'હર હર મહાદેવ' 'બમ બમ ભોલે'ના નાદથી શિવાલયો ગુંજી રહ્યા છે. શિવ મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. શ્રાવણ મહિના પ્રથમ દિવસે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પણ મહેરામણ ઉમટ્યું છે. રાજ્ય અને રાજ્ય બહારથી ભક્તો સોમનાથ દાદાના દર્શન કરવા માટે આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં ભક્તો સોમનાથ દાદાના દર્શન શાંતિથી કરી શકે તે માટે અનેક પ્રકારની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાઈ અનેક સુવિધા
શ્રાવણ માસમાં લાખો ભક્તો સોમનાથ દાદાના દર્શનાર્થે આવતો હોય છે, આ વખતે ગત વર્ષ કરતા પણ વધારે ભક્તો આવે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા રહેવા જમવાની સુવિધાઓથી લઈ દર્શન તેમજ પ્રસાદની વ્યવસ્થા, સિનિયર સિટીઝન અને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે
રૂ.21 વિશેષ બિલ્વ પૂજા સેવા
શ્રાવણ માસ દરમિયાન ભક્તો ઘરે બેઠા સોમનાથ દાદાની પૂજા કરાવી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સુવિધા ઉભી કરાઈ છે. સોમનાથ મંદિરમાં ભક્તો ઘરે બેઠા રૂ.21માં ઓનલાઈન બિલ્વપૂજા નોંધાવી શકે છે. આ માટે એક ક્યૂઆર કોડ પણ બનાવાયો છે, જેને સ્કેન કરીને ભક્તો પોતાની પૂજા ઓનલાઈન નોંધાવી શકે છે. શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપૂજા કર્યાના પુણ્યની સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તોએ નોંધાવેલા એડ્રેસ પર પ્રતિ બિલ્વ પૂજા માટે બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ, પ્રસાદ સ્વરૂપે મોકલશે.
#Parvati_maa_vastra_prasad#Somnath_Vastra_Prasad#Somnath_Temple_Live_Darshan#Somnath_Temple_Official_Channel#PrathamJyotirling #girsomnath#jay_shree_ram#shree_ram_mandir_somnath#tree_plantation#saving_nature#maha_prasad#pilgreme_facility#shree_somnath_trust pic.twitter.com/GqURfBSX1k
— Shree Somnath Temple (@Somnath_Temple) August 16, 2023
હેલ્પ ડેસ્ક બનાવાયું
સોમનાથ મંદિરની બહાર સ્વાગત કક્ષ હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યું છે, જે યાત્રીઓને કોઈપણ મદદ માર્ગદર્શન પૂરું પાડશે. મંદીરના પ્રવેશ અને નિકાસ માર્ગો પર હાઇ ક્વોલિટી ટેન્ટ લગાડવામાં આવ્યા છે. જેથી યાત્રીઓને તડકા કે વરસાદની સ્થિતિમાં કોઈ અગવડ ન પડે. પ્રવેશ અને નિકાસ બન્ને રસ્તે શ્રધ્ધાળુઓને પીવાના પાણી માટે ફિલ્ટર પાણીના પરબ પણ ગોઠવવામાં આવ્યા છે. સાથે જ ટ્રસ્ટના અતિથિગૃહના રૂમોનું ઓનલાઇન બુકિંગ માત્ર સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટ somnath.org પરથી જ થઈ શકશે. શ્રદ્ધાળુઓ પોતાના પ્રવાસ માટે એડવાન્સ બુકિંગ કરી શકે છે.
ભક્તો ઘરે બેઠા મહાઆરતીનો ઉઠાવી શકશે લ્હાવો
શ્રાવણ માસ દરમિયાન ભક્તો સોશિયલ મીડિયાના માધ્યમથી નિયમિત દર્શન કરી શકે, ઉપરાંત મહાઆરતીનો લ્હાવો ઉઠાવી શકે તે માટે પણ ટ્રસ્ટ દ્વારા સિવિધા શરૂ કરાઈ છે. ભક્તો સોમનાથ મંદિરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી નિયમિત દર્શન અને આરતીનો લ્હાવો લઇ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir