બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
VTV / Crop insurance scheme closed in 2020, what about farmers' trapped rupees? Why can't the government put pressure on insurance companies?
Vishal Khamar
Last Updated: 10:03 PM, 18 July 2023
2016માં જયારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ થઈ ત્યારે તેનો ઉદ્દેશ વિપરીત સંજોગોમાં ખેડૂતને જયારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે ત્યારે તેને આર્થિક ટેકો કરવાનો હતો. યોજનાનો લાભ તો હતો પરંતુ સમય જતા યોજનાની શરતોએ ખેડૂતોમાં કચવાટની લાગણી ઉભી કરી. પાક વીમા યોજનાનો લાભ લેવા પ્રીમિયમ ભરવું ફરજિયાત હતું.
બ્લેકલીસ્ટ પણ કરી છતા ચાર વર્ષ બાદ સ્થિતિ વધુ વિપરીત થઈ
પરંતુ જે ખેડૂતના પાકને નુકસાન નથી થયું તે વીમાનું પ્રીમિયમ શા માટે ભરે એવો કચવાટ સતત થતો. અનેક ફરિયાદો થઈ, સરકારે કંપનીને બ્લેકલીસ્ટ પણ કરી છતા ચાર વર્ષ બાદ સ્થિતિ વધુ વિપરીત થઈ છે. જો આંકડાઓને સાચા માનીએ તો 4 વર્ષમાં 84 લાખ ખેડૂતોએ 53 હજાર કરોડનો વીમો લીધો છે જેમાંથી 25 લાખ ખેડૂતોને જ 5 હજાર કરોડનો ક્લેમ મળ્યો હોય તેવી સ્થિતિ છે. સરકાર અને વીમા કંપનીઓ એકબીજા ઉપર દોષારોપણ કરતી જોવા મળે છે અને વીમા કંપનીઓ પાસે તો વળતર ન ચુકવવાના તૈયાર કારણો મોટેભાગે હોય જ છે.. આવા સંજોગોમાં ખેડૂતોના ફસાયેલા રૂપિયા મળે તો કઈ રીતે મળે અને તેમની વ્યાજબી ફરિયાદ કોણ સાંભળશે.
પાક વીમા યોજનામાં ખેડૂતોના રૂપિયા ફસાયા છે. 2016માં શરૂ થયેલી યોજના 2020માં બંધ થઈ. ત્યારે વીમા કંપની અને સરકાર વચ્ચે લાખો ખેડૂતોના રૂપિયા અટવાયા છે. પાક વીમા યોજનામાં ફસાયેલા રૂપિયા મેળવવા ખેડૂતોની અનેક અરજી કરી. અનેક જગ્યાએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ખેડૂતોની અનેક ફરિયાદ પણ સાંભળનાર કોઈ નથી. વીમા કંપનીઓ ઉપર દબાણ વધારવાનો સરકારનો દાવો.
ખેડૂતોની રજૂઆત શું છે?
પાક વીમા યોજના અંતર્ગત 4 વર્ષમાં 84 લાખ ખેડૂતોએ વીમો લીધો છે. 84 લાખમાંથી 25 લાખ ખેડૂતોનો જ ક્લેમ પાસ થયો. સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે કાર્યવાહી ચાલી રહી છે. આ કાર્યવાહીમાં 58 લાખ ખેડૂતોના 48 હજાર કરોડ રૂપિયા અટવાયા છે. વીમા કંપનીઓએ પ્રીમિયમ વસૂલી લીધું પરંતુ વીમાની રકમ આપતી નથી.
પાક વીમા યોજનાનો ઉદ્દેશ શું હતો?
અણધાર્યા સંજોગોને કારણે પાકને નુકસાન થયું હોય ત્યારે આર્થિક ટેકો આપવો. તેમજ ખેડૂતોની આવક સ્થિર રાખવી. ખેતી માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન આપવું. કૃષિ ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો.
કેવા સંજોગોમાં મળતી હતી સહાય?
વિપરીત હવામાનની સ્થિતિમાં વાવણી રોકવી પડે. તેમજ વિપરીત સંજોગોને કારણે ઉભા પાકને નુકસાન થાય. કાપણી પછીના બે અઠવાડિયા સુધીના સમયને આવરી લેવો. કરા પડવા, જમીન ખસવી, જળબંબાકાર જેવી સ્થિતિને કારણે નુકસાન થાય.
ગુજરાતની સ્થિતિ-વર્ષ 2016-17
નોંધાયેલા ખેડૂત | 19 લાખ |
વીમા હેઠળ જમીન | 30 લાખ હેક્ટર |
મળવાપાત્ર રકમ | 12 હજાર કરોડ |
ખેડૂતોનું પ્રીમિયમ | 243 કરોડ |
સરકારે ભરેલું પ્રીમિયમ | 2274 કરોડ |
દાવા આવ્યા | 1267 કરોડ |
ચૂકવ્યાનો દાવો | 1267 કરોડ |
લાભાર્થી ખેડૂત | 6.80 લાખ |
ગુજરાતની સ્થિતિ-વર્ષ 2017-18
નોંધાયેલા ખેડૂત | 17 લાખ |
વીમા હેઠળ જમીન | 25 લાખ હેક્ટર |
મળવાપાત્ર રકમ | 11900 કરોડ |
ખેડૂતોનું પ્રીમિયમ | 385 કરોડ |
સરકારે ભરેલું પ્રીમિયમ | 3131 કરોડ |
દાવા આવ્યા | 1076 કરોડ |
ચૂકવ્યાનો દાવો | 1075 કરોડ |
લાભાર્થી ખેડૂત | 3.88 લાખ |
ગુજરાતની સ્થિતિ-વર્ષ 2018-19
નોંધાયેલા ખેડૂત | 21 લાખ |
વીમા હેઠળ જમીન | 26 લાખ હેક્ટર |
મળવાપાત્ર રકમ | 13676 કરોડ |
ખેડૂતોનું પ્રીમિયમ | 402 કરોડ |
સરકારે ભરેલું પ્રીમિયમ | 3141 કરોડ |
દાવા આવ્યા | 2778 કરોડ |
ચૂકવ્યાનો દાવો | 2777 કરોડ |
લાભાર્થી ખેડૂત | 13.84 લાખ |
પ્રીમિયમ મુદ્દે કંપની અને સરકારના દાવા
સરકારે 8 વીમા કંપનીઓને કામગીરી સોંપી હતી. અનેક કંપનીએ ખેડૂતોના રૂપિયા ન ચૂકવ્યાનો દાવો. સરકારે SBI જનરલ ઈન્શ્યોરન્સને બ્લેકલીસ્ટ કરી હતી. SBIના અધિકારીએ કહ્યું કે કેન્દ્રએ પણ પ્રીમિયમનો બાકી હિસ્સો સબ્સિડી રૂપે આપવાનો હતો. SBIના અધિકારીએ કહ્યું કે સરકાર તરફથી આ મુદ્દે ફંડ નથી મળ્યું. સરવે ન કરવવા અંગે કંપનીએ દલીલ કરી કે તેમની પાસે માણસો નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir