બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
Vishnu
Last Updated: 11:18 PM, 3 October 2022
ગુજરાત વિધાનસભાની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. આ વખતે ગુજરાતમાં આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસનું સમીકરણ બગડી શકે છે ત્યારે હવે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ આપના રેવડી કલ્ચર પર નિશાન સાધી રહ્યા છે. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગીર સોમનાથ જિલ્લાના ઉનાની મુલાકાતે હતા. જ્યાં તેમણે ઉનામાં સિનેમાનું ઉદઘાટન કરી જંગીસભાને સંબોધન કર્યું હતું.
અગાઉ કોગ્રેસને ગુજરાતમાંથી જાકારો મળ્યો, ફરી મળશે: સી આર પાટીલ
સી આર પાટીલે ભાષણ દરમિયાન કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસને નિશાને લેતા કહ્યું હતું કે હવે વિકાસ નહી કોગ્રેસ ગાંડી થયેલ છે. સોનીયા ગાંધીનુ રીમોટ તૂટયું છે. 27 વર્ષથી કોગ્રેસને ગુજરાતમાંથી જાકારો મળ્યો છે. અને આ વખતે પણ જનતા કોંગ્રેસને જાકારો આપશે. કોગેસનો કુંવર જ્યા જાય છે ત્યા હારે છે.
આપવાળા કહે છે કે હું 10 લાખ લોકોને નોકરી આપીશ પણ 5 લાખ જ સરકારી જગ્યાઓ છે: સી આર પાટીલ
તો બીજી તરફ આપના રેવડી કલ્ચર પર પણ ફરી પ્રહાર કરતાં કહ્યું હતું કે AAP તમારા મોબાઇલમાં ગેરંટી આપે છે, મોદી જે કહે છે તે કરે છે અને કર્યુ પણ છે. ગુજરાતમાં સત્તા મેળવવા આપ પાર્ટી જનતાને લાલચ આપવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતમાં પાંચ લાખ સરકારી કર્મચારી તેમજ અધિકારીઓ છે. આપવાળા કહે છે કે હું 10 લાખ લોકોને નોકરી આપીશ.બધી ભરાયેલી છે તો 10 લાખને નોકરી કેવી રીતે આપશે તે મોટો સવાલ છે. પણ બીજી તરફ ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે.
દ્વારકામાં મોટું ડીમોલેશન સરકાર અને તંત્રએ કર્યું
ગીર સોમનાથના પ્રવાસ દરમિયાન બેટ દ્વારકામાં ડીમોલેશનની કામગીરી મામલે પણ સી આર પાટીલે નિવેદન આપ્યું હતું. અને કહ્યું હતું કે સરકારે દ્વારકામાં મોટું ડીમોલેશન હાથ ધર્યું છે. અનેક ગેર કાયદેસર બાંધકામો તોડી પડાયા છે. દ્વારકા કૃષ્ણની નગરી છે, ત્યાં બીજું કંઈ ન હોય, આ સાથે જ ભાજપ કાર્યકર્તા અને લોકોને અપીલ કરી હતી કે સરકાર અને તંત્રનો સોશિયલ મીડિયા દ્વારા આભાર વ્યક્ત કરાય તેવી કામગીરી ત્યાં કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir