બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / covid 19 positive wife of retired district judge of lucknow died letter goes viral
Hiralal
Last Updated: 05:52 PM, 15 April 2021
યુપીના લખનઉમાં કોરોનાના દર્દીઓથી હોસ્પિટલો કેટલી હદે ઠસોઠસ ભરાઈ છે તે હકીકત દર્શાવતી એક હદયદ્રાવક ઘટના બની છે. ઘટના એવી છે કે લખનઉના ગોમતી નગરના રહેવાશી જિલ્લા જજ રમેશ ચંદ્રાની પત્નીને કોરોનો થતા તેમને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત આવી. પરંતુ હોસ્પિટલો તો પહેલેથી ફૂલ હોવાથી તેમની પત્નીને બેડ ન મળ્યો અને તેને કારણે જજની આંખ સામે પત્નીનું નિધન થયું.
જજનો પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થયો,કરુણ ઘટનાને વર્ણવી
જજ એક પત્ર દ્વારા તેમની સાથે બનેલી આ કરુણ ઘટનાને વર્ણવી જે પત્ર સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જજ પત્રમાં લખ્યું હતું કે તેઓ અને તેમની પત્ની મધુચંદ્રા કોરોના પોઝિટીવ હતા. ગુરુવારે સવારે 10 વાગ્યે મધુચંદ્રાનું નિધન થયું. હું બુધવાર સવારના 7 વાગ્યાથી વહિવટીતંત્રે આપેલા નંબર પર ફોન કરતો રહ્યો અને પત્નીના નિધનની જાણ કરતો રહ્યો તેમ છતાં પણ કોઈએ એમ્બ્યુલન્સ ન મોકલી કે ઘેર કોઈ દવા આપવા માટે પણ ન આવ્યું. અમને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ કોઈ પ્રક્રિયા ન કરવામાં આવી.
કોઈ ડેડબોડી લેવા પણ ન આવ્યું
ચિઠ્ઠીમાં પૂર્વ જજે આગળ લખ્યું કે વહિવટીતંત્રની લાપરવાહીને કારણે મધુચંદ્રાનું નિધન થઈ ગયું. હાલમાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કોઈ ડેડબોડી ઉઠાવનાર પણ નથી. લખનઉમાં આરોગ્ય વ્યવસ્થા ધરાશાયી બની ગગઈ છે. હોસ્પિટલમાં બેડની તંગી છે. સમય પર એમ્બ્યુલન્સ પહોંચતી નથી. તપાસ રિપોર્ટ પણ સમયસર મળતો નથી અને તેને કારણે મોતનો આંકડો વધી રહ્યો છે.
અનેક ફોન કરવા છતા પણ દવા દેવા કોઈ ન ફરક્યું
પૂર્વ જજ રમેશચંદ્રે જણાવ્યું કે મેં ડીએમની માંડીને સીએમઓ તથા કન્ટ્રોલ રુમના અધિકારીઓને અનેક ફોન કર્યાં. બસ 5 મિનિટ, 10 મિનિટ અને 20 મિનિટ તેવા મને ઠાલા આશ્વાસન મળતા રહ્યાં. આવું કરતા કરતા દોઢ દિવસ વીતી ગયો. એમ્બ્લુલન્સ અને હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળતા મધુચંદ્રાની હાલત ખૂબ ખરાબ બની. તેનું ઓક્સિજન સ્તર પણ 80 થી નીચે જતું રહ્યું હતું અને સતત ઘટી રહ્યું હતું. અમે એમ્બ્યુલન્સની પ્રતિક્ષા કરતા રહ્યાં અને આ દરમિયાન તેમના શ્વાસ પૂરા થયા આટલું કહીને જજ રડી પડ્યાં. જજ રડતા રડતા બોલ્યાં કે પત્નીના મોત બાદ સવારથી લાશ ઉઠાવવા માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને ફોન કરતો રહ્યો તેમ છતાં પણ કોઈ ફરક્યું પણ નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા